પાકિસ્તાનના PM ઈમરાન ખાને પાકિસ્તાનની કમાન સંભાળ્યા બાદ ભારત સાથે ચાલી રહેલા સૌથી મોટા વિવાદ કશ્મીર મુદ્દે સમાધાનની શરૂઆતનો દાવો કર્યો છે. ઈમરાન ખાનના મંત્રી શિરીન મજારીએ જણાવ્યું કે કશ્મીરનું નિરાકરણ લાવવા માટે અમે પ્રસ્તાવ તૈયાર કરી રહ્યાં છે.
આ પ્રસ્તાવને કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. માનવ અધિકારી મંત્રી શિરીન મજારીએ જણાવ્યું કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની સરકાર કશ્મીર મુદ્દે એક પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે. પ્રસ્તાવ લગભગ તૈયાર થવાના આરે છે. એક અઠવાડિયામાં પ્રસ્તાવ તૈયાર થઈ જશે અને તેને કેબિનેટમાં રજૂ કરવામાં આવશે.
પાકિસ્તાનની એક ખાનગી ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપતા માનવ અધિકાર મંત્રી શિરીન મજારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ પાર્ટીની સરકાર કશ્મીર મામલે ઉકેલ ઉચ્છે છે અને આ વિષયમાં એક પ્રસ્તાવ પણ તૈયાર કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રસ્તાવ લગભગ તૈયાર થઇ ગયો છે અને આગામી એક સપ્તાહમાં તે પૂર્ણ રીતે તૈયાર થઇ જશે.
આપને જણાવી દઇએ કે ઇમરાન ખાન ભારત સાથેની વિવાદ મામલે હંમેશા સમાધાનની માગ કરી રહ્યા છે. પરંતુ સત્તા સંભાળ્યા બાદ તેમના તરફથી દોસ્તીના કોઇ ચોકક્સ સંકેતો પ્રાપ્ત થયા નથી. તેઓ બોર્ડર પર શાંતિની વાત કરી રહ્યા છે.
પરંતુ આતંકવાદ પર લગામ લાદવાના વિષયમાં કોઇ અભિપ્રાય આપી રહ્યા નથી. એટલું જ નહીં પરંતુ તાજેતરમાં અમેરિકાના વિદેશમંત્રીએ ઇમરાન ખાનને શુભેચ્છા આપી અને પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકી સંગઠનો પર લગામ લાવવા આહવાન કર્યું તેમ છતાં તેઓ ચૂપ રહ્યા હતા.