આજે અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યુ છે. જેનાથી પાકિસ્તાન હચમચી ગયુ છે. ઈમરાન ખાન સરકારના રેલ મંત્રી શેખ રશીદે મોદી સરકારની ટિકા કરતા કહ્યું કે તેને સાંપ્રદાયિક કરાર કરી દીધું છે. રશીદે એક નિવેદનમાં કહ્યું કે ભારત હવે રામનગર થઈ ગયુ છે. ત્યાં સેક્યુલરિજ્મ નથી રહ્યું.
પાક મંત્રી શેખ રશીદે કહ્યું કે ભારતમાં હવે શ્રી રામનું હિંદુત્વ ચાલી રહ્યુ છે.
લઘુમતિઓને હેરાનગતિ થઈ રહી છે
ભારત હવે હિંદુત્વમાં ઢળી ગયું છે
આ પહેલા અયોધ્યાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો રામ મંદિરના પક્ષમાં આવ્યો હતો. ત્યારે રશીદે કહ્યું હતું કે ભારતમાં હવે હિંદુવાદી તાકાતો હાવી થઈ ગઈ છે.
મંગળવારે એક નિવેદનમાં ઈમરાનના રેલ મંત્રી શેખ રશીદે કહ્યું કે ભારતમાં સેક્યૂલરિઝમ પર જ સવાલ ઉઠી રહ્યા છે. કહ્યું કે ભારત હવે રામ નગરમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. ત્યાં સાંપ્રદાયિક્તા વધી રહી છે અને ધર્મ નિરપેક્ષતા એટલે કે સેક્યુલરિજ્મ ખતમ થઈ રહ્યુ છે. સ્પષ્ટ શબ્દોમાં કહુ તો ભારત હવે સેક્યુલર રહ્યુ નથી. ત્યાં લઘુમતિઓને તકલીફ થઈ રહી છે. ભારત હવે હિંદુત્વમાં ઢળી ગયું છે.
રશીદે કાશ્મીરી રાગ આલાપતા કહ્યુ કે આ સંયોગ જ છે કે જે દિવસે મોદીએ રામ મંદિરનું પૂજન કરશે તે જ દિવસે જમ્મુ- કાશ્મીરમાંથી 370 હટ્યાને એક વર્ષ પુરુ થયું છે. કેન્દ્ર સરકારે ગત 5 ઓગસ્ટના રોજ 370 હટાવી હતી. આ સાથે કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાયો હતો.રશીદે કહ્યું કે પાકિસ્તાનના મુસલમાન કાશ્મીરીઓની સાથે ઉભા છે. ભારત તેને નક્કી કરવાની તક આપે કે તે કોની સાથે જવા માંગે છે.