પાકિસ્તાનમાં ઈમરાન ખાન સહિત આજે આખીય કેબિનેટ રાજીનામું આપશે તેવી શક્યતા સેવાઇ રહી છે. મહત્વનું છે કે, ઈમરાન ખાને આવતી કાલે સંસદમાં બહુમત સાબિત કરવાની છે.
ઈમરાન ખાન સહિત આખીય કેબિનેટ આજે આપી શકે છે રાજીનામું
વિપક્ષે કહ્યું દેશ છોડીને ભગાવાની તૈયારીમાં છે PM
70 સાંસદો રાજીનામું આપવા નથી ઇચ્છતા
પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે ઇમરાન ખાનની સરકારની જરૂરથી વિકેટ પડશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઇમરાન ખાન આજે સાંજે દેશને સંબોધિત કરશે. દેશના નામે સંબોધન કરતા પહેલાં ઇમરાન ખાને આજે કેબિનેટની બેઠક બોલાવી છે. આ સાથે સંસદીય સમિતિની બેઠક પણ યોજશે. જો કે, રાજકીય લડાઈ વચ્ચે એવી અટકળો પણ ચાલી રહી છે કે ઈમરાન ખાન આજે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. તમને જણાવી દઇએ કે, ઈમરાન ખાને આવતી કાલે સંસદમાં બહુમત સાબિત કરવાની છે. આ સાથે ઈમરાનની દલીલ પહેલાં નિવેદનોનો દોર પણ ચાલી રહ્યો છે.
70 સાંસદો રાજીનામું આપવા નથી માંગતા
પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈમરાન ખાનની પાર્ટીમાં 70 સાંસદો રાજીનામું આપવા નથી માંગતા.
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નિવેદન
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ નવાઝ શરીફે કહ્યું હતું કે, હું પાકિસ્તાનના લોકોને અભિનંદન આપવા માંગુ છું. આજે એક એવી વ્યક્તિમાંથી આપણને મુક્તિ મળી છે કે જેને પાકિસ્તાનને આર્થિક રીતે પાયમાલ અને બરબાદ કરી દીધું છે, પાકિસ્તાનને કંગાળ કરીને દેખાડી દીધું, ઉપરવાળાનો આભાર કે તેનાથી મુક્તિ મળી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પીએમ ઈમરાન ખાનને એક મોટો ઝટકો આપતા દેશની સંસદને બહાલ કરવાનો ઓર્ડર આપ્યો છે. નેશનલ એસેમ્બલી બહાલીના સુપ્રીમના ચુકાદા બાદ 9 એપ્રિલે હવે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થશે. એટલે કે ઈમરાન ખાનને હવે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે.
9 એપ્રિલે સંસદમાં થશે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ
સુપ્રીમના આદેશ બાદ હવે ઈમરાન સરકારે 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. ઈમરાન પાસે સભ્યસંખ્યા ઓછી હોવાને કારણે તેમની સરકારનું પતન થાય તેવી શક્યતા છે. સાચી ખબર તો હવે 9 એપ્રિલે પડશે.
ચુકાદા પહેલા ઈમરાન ખાને કહ્યું હતું, કોર્ટનો ઓર્ડર માથે ચડાવીશું
સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા વડાપ્રધાન ઇમરાન ખાને પોતાની લીગલ ટીમ સાથે મહત્વની બેઠક યોજીને કહ્યું કે કોર્ટનો જે પણ નિર્ણય હશે તે મને અને મારી પાર્ટીને સ્વીકાર્ય રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કાનૂની ટીમે નેશનલ એસેમ્બલી (એનએ)ના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સુરીના નિર્ણય વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટની સુનાવણી વિશે માહિતી આપી હતી, જેમાં તેમણે 3 એપ્રિલે પીએમ ઇમરાન ખાન વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.