પાકિસ્તાનના રાજકારણમાં આજકાલ ભારે ગરમાવો આવ્યો છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની સરકારનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. 28 માર્ચે વિપક્ષ ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. માનવામાં આવી રહ્યું છે કે, અવિશ્વાસ પ્રસ્તાવમાં ઈમરાન ખાનની સરકારનો ખેલ ખતમ થઈ જવાનો છે. ત્યારે આવા સમયે ઈમરાન ખાન પાસે ગણ્યા ગાંઠ્યા દિવસો બચ્યા છે, પણ તેમની પાર્ટી પાકિસ્તાન તહરીકે ઈંસાફ છેલ્લે સુધી કોશિશ કરશે કે, નેશનલ અસેંબલીના સભ્યોને સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને ધમકાવવા લાગ્યા છે.
આયારામ ગયારામ પર સૌની નજર
પીટીઆઈએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે, જે સભ્ય પીટીઆઈનો સાથ છોડવા માગે છે, તેમને અયોગ્ય ઘોષિત કરવામાં આવે અને એવી સજા આપવામાં આવે કે, પાકિસ્તાનમાં આ પ્રથમ હંમેશા માટે બંધ થઈ જાય. પણ પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર 10 મંત્રી અને 41 નેશનલ અસેંબલીના સભ્યો એવા છે, જે પોતાની જૂની પાર્ટી સાથે જ બળવો કરીને સત્તાધારી પાર્ટીમાં શામેલ થયા છે. હવે આ સાંસદો પર સૌની નજર ટકેલી છે. પીટીઆઈએ સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો છે કે, જે લોકો પાર્ટી સાથે છેતરપીંડી કરી રહ્યા છે, તેમને અયોગ્ય ઘોષિત કરીને હંમેશા માટે આ પ્રથાને સમગ્રપણે સમાપ્ત કરી દેવી જોઈએ.
51 સભ્યો આવ્યા હતા પીટીઆઈમાં
જો કે, પીટીઆઈ ખુદ આ મુદ્દે પર સંયમ જાળવી શક્યું નથી. જ્યારે 2018માં નેશનલ અસેંબલીની ચૂંટણી થઈ ત્યારે પીટીઆઈ તરફથી જીતનારા 46 ઉમેદવાર બીજી પાર્ટી છોડીને પીટીઆઈમાં આવ્યા હતા. એટલુ જ નહીં જ્યારે 2018માં ઈમરાન ખાન પાકિસ્તાનમાં સરકાર બનાવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે તેમને પૂર્ણ બહુમત નહોતો મળ્યો. ત્યારે આવા સમયે પાંચ અપક્ષ સાંસદોએ તેમની પાર્ટીને ટેકો આપ્યો હતો. બાદમાં તેમનામાંથી બેને મંત્રી પણ બનાવા પડ્યા હતા. આ પાંચેય પીટીઆઈમાં લાવવાનો શ્રેય પંજાબના એક બિઝનેસમેન જહાંગીર ખાનને આપવામાં આવ્યો હતો. ત્યાં સુધી કે, પીટીઆઈમાં 51 સાંસદો એવા છે, જેમણે બીજા પાર્ટીમાંથી ઠેકડી મારીને પીટીઆઈમાં આવ્યા હતા.
28 માર્ચે મતદાન
જો કે, સુપ્રીમ કોર્ટ તરફથી ઈમરાન સરકારને પહેલાથી જ ઝટકો લાગી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર 24 માર્ચે સુનાવણી કરશે, પણ તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે, પ્રેંસિડેશિયલ રેફરેંસ તરીકે દાખલ કરવામાં આવેલી સરકારી અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી મતદાન પ્રક્રિયા રોકવામાં આવશે નહીં. પાકિસ્તાનમાં 25 માર્ચે નેશનલ અસેંબલીની બેઠક બોલાવામાં આવી છે, જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર 28 માર્ચે મતદાન થવાનું છે. જો કે, વિપક્ષી પાર્ટીઓ સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા મતદાન કરાવાની પુરી કોશિશ કરવામાં લાગી ગયા છે.