પાકિસ્તાનની સાંસદમાં ભારતીય વિંગ કંમાન્ડર અભિનંદન વર્ધમાનનો ઉલ્લેખ ફરી એક વાર થયો છે. ઈમરાન સરકારના તમામ દાવાઓની પોલ ખુલી ગઈ છે. પાકિસ્તાનના વિપક્ષના એક પ્રમુખ નેતાના નિવેદન પર ઈમરાન ખાન સરકારે સફાઈ આપતા કહ્યું કે પાકિસ્તાન સેના અથવા સરકાર પર ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડવા કોઈ દબાણ નહોંતુ.
ખ્વાજા મોહમ્મદ આસિફના પાકિસ્તાનની સાંસદમાં મોટા ખુલાસા બાદ ખળભળાટ
સરકારે સફાઈ આપતા કહ્યું કે અભિનંદને છોડવા કોઈ દબાણ નહોંતુ
ઈમરાન સરકારના તમામ દાવાઓની પોલ ખુલી ગઈ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકે સંસદમાં દાવો કર્યો હતો કે મને યાદ છે કે મહેમૂદ શાહ કુરૈશી તે બેઠકમાં પોતે હતા. જેમાં ઈમરાન ખાને આવવાથી ઈન્કાર કરી દીધો હતો. કુરૈશીના પગ ધ્રુજી રહ્યા હતા. માથા પર પરશેવો હતો. અમને કુરેશીએ કહ્યું કે ખુદા માટે હવે આને પાછો જવા દો. કેમ કે 9 વાગે રાતે હિંદુસ્તાન પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે.
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પાકિસ્તાનની સાંસદમાં મોટો ખુલાસો કરતા કહ્યું કે ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારતના ડરના કારણે પાકિસ્તાને છોડ્યો હતો. આસિફે કહ્યું કે પાકિસ્તાનની સત્તાની વચ્ચે ભારત સરકારને લઈને આ પ્રકારનો ડર બેઠેલો હતો કે જો તેમણે સમય બરબાદ કર્યા વગર તાત્કાલીક અભિનંદન વર્ધમાનને મુક્ત કરી દો અને હિંદુસ્તાનની સામે ઘૂંટણીએ આવી ગયા હતા. તેમણે કહ્યું કે ભારતને ખુશ કરવા માટે અભિનંદનને છોડવામાં આવ્યો હતો.
સાદિકની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હફીજ ચૌધરીએ કહ્યું કે વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિને લઈને પાકિસ્તાન પર કોાઈ દબાણ નહોતું. પ્રવક્તાએ પોતાના સાપ્તાહિક સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું કે પાકિસ્તાન સરકાર આ નિર્ણય શાંતિને ધ્યાનમાં રાખીને કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ.