પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસથી હિંદુ મંદિરો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે, સિંધ પ્રાંત બાદ હવે કરાંચીમાં પણ આવી એક ઘટના સામે આવી રહી છે.
પાકિસ્તાનમાં ફરીવાર મંદિર પર કટ્ટરપંથીઓએ કર્યો હુમલો
કટ્ટરપંથીઓએ બાળક પર ઈશનિંદાનો લગાવ્યો આરોપ
ભગવાન ગણેશ અને શિવજીની મૂર્તિઓ તોડી પડાઈ
પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાંચીમાં કટ્ટરપંથી ભીડે એક બાળક પર પૈગંબરની ઈશનિંદાનો આરોપ લગાવ્યો અને એક પ્રાચીન મંદિરમાં જોરદાર તોડફોડ કરી નાખી. લ્યારી વિસ્તારમાં આ ઘટના પહેલા હિંદુઓ પર ઈશનિંદાનો આરોપ લગાવવામાં આવ્યો અને તે બાદ મંદિરમાં ઘુસીને ખૂબ તોડફોડ કરવામાં આવી .અ દરમિયાન મંદિરમાં રખાયેલ ગણેશજી અને શિવજીની મૂર્તિઓને તોડી નાખવામાં આવી.
In Lyari, mob vandalized the Temple over allegation of Blasphemy. There being no evidence against alleged Hindu boy, Hindu community has been harassed.
Hindu community has been facing problems - in video seen saying, “Look at our Temple, this is our (Hindus) status.” pic.twitter.com/LREl6DtGZn
કટ્ટરપંથીઓએ કોઈ પણ પૂરાવા વગર જ હિંદુ બાળક પર આરોપ લગાવી દીધા. સ્થાનિક હિંદુઓનું કહેવું છે કે તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ મંદિરમાં કરાંચીમાં ભીમપુરા વિસ્તારમાં હતું, મંદિરમાં ભગવાનની વિવિધ તસવીરોને પણ ફાડી નાખવામાં આવી. નોંધનીય છે કે 20 જ દિવસમાં હિંદુ મંદિરમાં તોડફોડની આ ત્રીજી ઘટના છે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાનમાં હિંદુ મંદિરો પર ઘણા હુમલાઓ સામે આવ્યા છે. કરાંચી પહેલા થારપારકર જિલ્લામાં સ્થિત મંદિરમાં દુર્ગા માતાજીની મૂર્તિને ખંડિત કરી દેવામાં આવી હતી. મંદિરના પૂજારીએ કહ્યું કે ત્યાં અડધી રાત્રે કેટલાક લોકો ધસી આવ્યા અને મૂર્તિઓ તોડી. પોલીસે હજુ સુધી તે લોકો પર કોઈ કાર્યવાહી કરી જ નથી.