પાકિસ્તાન મરીને વધુ એકવાર પોતાની કરતૂતનો કર્યો પર્દાફાશ.,પોરબંદરની વધુ એક બોટનું કર્યુ અપહરણ
પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત
પોરબંદરની બોટનું કરવામાં આવ્યુ અપહરણ
3 માછીમારોનું અપહરણ કર્યું
પાકિસ્તાન પોતાની નાપાક કરતૂતથી ક્યારેય બાઝ નથી આવતુ ત્યારે વધુ એક વાર પાકિસ્તાને પોતાનો કરતૂતનો પર્દાફાશ કર્યો છે. પોરબંદરની વધુ એક બોટનું અપહરણ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે. એક જ અઠવાડિયામાં બીજી બોટનું અપહરણ કરવામાં આવતા ચકચાર મચી છે. સત્યવતી નામની બોટનું ગત મોડી રાત્રે અપહરણ કરવામાં આવ્યુ હતું.
3 માછીમારોનું કર્યુ અપહરણ
પાકિસ્તાની મરીને બોટમાં સવાર 3 માછીમારોનું અપહરણ કર્યુ છે. જ્યારે બોટમાં સવાર અન્ય 5 માછીમારોને છોડી મુક્યા. 5 માછીમારો કોસ્ટગાર્ડના સમુદ્ર પાવક જહાજમાં પરત ફર્યા છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે પાંચ માછીમારોને છોડી દીધા અને માત્ર 3 માછીમારોને પકડવાનું કારણ શું.. શું બની હશે સમગ્ર ઘટના.. કેવી રીતે કરવામાં આવ્યુ અપહરણ સહિતના વગેરે સવાલોને લઇને પરત ફરેલા માછીમારોની તમામ એજન્સીઓ દ્વારા પૂછપરછ શરુ કરવામાં આવી છે.
તુલસી મૈયાનામની બોટનું કર્યુ હતુ અપહરણ
અગાઉ થોડા દિવસ પહેલા જ પાકિસ્તાન મરીને તુલસી મૈયા નામની ભારતીય માછીમારી બોટ સાથે 7 માછીમારોનું અપહરણ કર્યુ હતું. આ બાબતે પાકિસ્તાન મરીન દ્વારા બચાવ પક્ષમાં જણાવ્યું હતું કે, તુલસી મૈયા બોટના ચાલકે આ ભુલ કરી છે, જેને બેગુનાહ માછીમારોને ફસાવાના પ્રયત્નો કર્યા છે.
સુરક્ષા એજન્સીઓ સતર્ક
પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારો તથા બોટનું અપહરણ કરવાના બનાવો વધી રહ્યા છે જેને લઇને કચ્છમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ છે. આંતરરાષ્ટ્રીય જળસીમા IMBL નજીક સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.