મુંબઇ: વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે તેઓનું વિદેશ મંત્રાલય જિન્ના હાઉસને સંપાદન કરવાની પ્રક્રિયા ચાલુ છે. મુંબઈ સ્થિત જિન્ના હાઉસના માલિક મૂળ રૂપથી પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્ના હતા. સુષ્મા સ્વરાજે કહ્યું કે જિન્ના હાઉસને નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસની જેમ ઉપયોગ કરાશે.
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મંગળ પ્રભાત લોધાએ લખેલા એક પત્રમાં કહ્યું કે આ પ્રક્રિયા ચાલુ છે. તો પીએમઓ દ્વારા પણ આ પત્રનો જવાબ આપવામાં આવ્યો. પીએમઓએ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ઉપલબ્ધ સુવિધાના આધારે જિન્ના હાઉસના પુન:નિર્માણ અને નવીનીકરણ કરવાનો આદેશ આપ્યો.
Mumbai: Visuals of Jinnah House in Malabar Hill area. MEA has announced that Indian Govt will acquire the property and convert it into an international cultural centre to hold meetings and international delegations pic.twitter.com/Vjs5LIqvxY
ઉલ્લેખનીય છે કે સરકારના આ પગલાથી જિન્ના હાઉસનો માલિક હક અને તેને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. જિન્ના હાઉસ અને ભારત સરકાર તથા જિન્નાની બે દીકરી દિના વાડિયા વચ્ચે આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. વાડિયાએ 2007માં બોમ્બે હાઈકોર્ટમાં સંપિત પરત મેળવવા માટે અરજી દાખલ કરી હતી. ગત વર્ષે વાડિયાનું મોત થયું છે.