જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાદવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચાર દિવસ સુધી ચાલનારી ઓપન સુનાવણી આજથી હેગમાં શરુ થઇ ગઇ છે. જે દરમિયાન પુલવામામાં આતંકી હુમલાના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર કોર્ટમાં પણ જોવા મળી હતી..
ભારતીય વિદેશ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી દીપક મિત્તલે પાકિસ્તાનના એટોર્ની જનરલ અનવર મંસૂર ખાન સાથે હાથ મિલાવવાની ના પાડી હતી. આઇસીજેમાં સુનાવણીથી પહેલા બંને દેશોના પ્રતિનિધિ એક બીજાને મળી રહ્યાં હતા. જે દરમિયાન પાકિસ્તાનના એજી અનવર મંસૂર ખાને ભારતીય ડિપ્લોમેટ દીપક મિત્તલની તરફ હાથ લંબાવ્યો હતો પરંતુ મિત્તલે હાથ જોડી નમસ્કાર કર્યા હાથ.
હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં 18 ફેબ્રુઆરીથી શરૂ થનારી સુનાવણી 21 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સુનાવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે જ્યારે ખ્વાર કુરૈશી પાકિસ્તાનનો પક્ષ રાખવા પહોંચ્યા છે. ભારત તરફથી ક્રોસ એક્ઝામિનેશનની શરૂઆત કરતા હરીશ સાલ્વેએ કહ્યું કે પાકિસ્તાને આ કેસમાં કુલભૂશણ જાધવ દ્વારા 12 વખત વિનંતી કરી હોવા છતા કાઉન્સિલર એક્સેસ આપવામાં આવ્યો નહીં જે વિયના સંધિનું ઉલ્લંઘન છે.
આ સાથે જ સાલ્વેએ જાધવને નિર્દોષ જણાવી ફસાવવા માટે પાકિસ્તાન પ્રોપેગેન્ડા ચાલાવી રહ્યું છે. હરીશ સાલ્વેએ વિયન સંધીની વ્યાખ્યા સામે મુકતા તમામ કલમનો ઉલ્લેખ કરતા કહ્યું કે કાઉન્સિલરના એક્સેસ વગર જાધવની ધરપકડ ગેર કાયદે જાહેર કરવી જોઇએ. હરીશ સાલ્વેથી પહેલા ભારત તરફથી હાજર રહેલા દીપક મિત્તલે કહ્યું કે આઇસીજેના નિર્ણયથી સવા સૌ કરોડ ભારતીયોમાં આશા જાગી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાને એક નિર્દોષ ભારતીય નાગરિકને અધિકારોનું હનન કરી આઇસીજેના ઓર્ડલનું ઠીકથી પાલન કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે ભારતીય નૌસેના અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાની સૈન્ય કોર્ટે જાસૂસીના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભાળી હતી. જેની સામે ભારતે મે 2017માં આઇસીજીનો દરવાજો ખટખટાવ્યો હતો. પાકિસ્તાન સતત જાધવને કાઉન્સિલર એક્સેસ આપવાથી ઇન્કાર કરતું રહ્યું છે. જે આંતરરાષ્ટ્રીય રાજકીય સંબંધોથી સંબંધિત 1963ની વિયના સંધિનું ઉલ્લંઘન છે.