1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાને તનોટ માતા મંદિરમાં 450 બોમ્બ ફેંક્યા હતા એકપણ બોમ્બ ફાટ્યો નહીં.
જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સીમા પર છે તનોટ માતા મંદિર
1965નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં 450 બોમ્બ મંદિરમાં ફેંકવામાં આવ્યા હતા
મંદિરનાં પરિસરમાં એકપણ બોમ્બ ન ફાટ્યો
જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સીમા પર છે તનોટ માતા મંદિર
દેશના ગૃહમંત્રી અમિત શાહે તનોટ માતા મંદિરમાં પૂજા-અર્ચના કરી. રાજસ્થાનના જીલ્લા જેસલમેરનું તનોટ માતા મંદિર ન માત્ર હિંદુઓ પણ દરેક ભારતીય માટે ખાસ છે. ભારત - પાકિસ્તાન યુદ્ધ સાથે જોડાયેલી ઘણી અજીબ યાદો આ મંદિરમાં સચવાયેલી છે. ભારત-પાકિસ્તાન સીમા પર સ્થિત આ મંદિરમાં દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ પહોંચે છે. જ્યારે ભારતીય સેનાનો પણ આ મંદિર સાથે સંબંધ છે. આ મંદિર દેશની પશ્ચિમી સીમા પર જેસલમેર જીલ્લાની પાકિસ્તાન સાથે જોડાયેલી સીમા પર બનેલ છે. તનોટ માતાનું મંદિર એક અદભૂત મંદિર છે. સરહદ પર આવેલું આ મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્રની સાથે સાથે ભારત-પાકિસ્તાનનાં ૧૯૬૫ તેમજ ૧૯૭૧ના યુદ્ધનું સાક્ષી પણ છે. યુદ્ધકાળમાં અહીં જે ઘટનાઓ બની તે આજ સુધી લોકો માતાનો ચમત્કાર માનતા આવ્યા છે. આ જ કારણ છે કે ભારતીય સેનાનાં રક્ષકના રૂપમાં આખો દેશ તનોટ માતાને પૂજે છે. પરંતુ અહીં થયેલા ચમત્કાર કોઈ દંત કથા નથી કે નથી કોઈ ફિકશનલ સ્ટોરી. ૧૯૬૫નાં ભારત - પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકો અને સીમા સુરક્ષા બળનાં જવાનોની તનોટ માતાએ માં બનીને રક્ષા કરી હતી.
तनोट माता का यह मंदिर एक अद्भुत शक्ति स्थल है,जहाँ मान्यता के अनुसार माँ की दैवीय शक्ति विद्यमान है जो निरंतर देश की रक्षा करती है। और इस पवित्र स्थल पर आकर उसकी अनुभूति भी निश्चित रूप से होती है।
माँ देश के सभी जवानों व क्षेत्रवासियों की रक्षा करें व सभी पर अपनी कृपा बनाए रखें। pic.twitter.com/cZMjpQmGhB
જેસલમેરથી થાર રેગીસ્તાનમાં 120 કિલોમીટર દૂર સીમા પાસે તનોટ માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ દેવીને થારનાં વૈષ્ણો દેવી અને સૈનિકોનાં દેવીનાં ઉપનામથી ઓળખવામાં આવે છે.
1965નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં 450 બોમ્બ મંદિરમાં ફેંકવામાં આવ્યા હતા
શત્રુઓએ ત્રણ અલગ અલગ દિશાઓથી તનોટ માતા પર ભારે આક્રમણ કર્યું હતું. દુશ્મનનાં તોપખાનાઓ આગ ફેંકતા રહ્યા. પરંતુ તનોટની રક્ષા માટે મેજર જય સિંહનાં કમાંડમાં ગ્રેનેડીયરની એક કંપની અને સીમા સુરક્ષા બળની બે કંપનીઓ દુશ્મનની આખી બ્રિગેડનો સામનો કરતી રહી. ૧૯૬૫ની લડાઈમાં પાકિસ્તાની સેના તરફથી લગભગ 3000 બોમ્બ પણ આ મંદિરનો વાળ પણ વાંકો ન કરી શક્યા. ત્યાં સુધી કે મંદિર પરિસરમાં પડેલા 450 બોમ્બ ફાટ્યા જ નહીં. માતા વિષે કહેવામાં આવે છે કે યુદ્ધના સમયે માતાના પ્રભાવે પાકિસ્તાની સેનાને એ પ્રકારે ઉલજાવી કે રાતના અંધારામાં પાકિસ્તાનની સેના પોતાના જ સૈનિકોને ભારતીય સૈનિકો સમજીને તેમના પર ગોળીબાર કરવા લાગી અને પરિણામ સ્વરૂપે સ્વયં પાકિસ્તાની સેના તરફથી પોતાની જ સેના સાફ કરવામાં આવી હતી.
મંદિરનાં પરિસરમાં એકપણ બોમ્બ ન ફાટ્યો
તનોટ માતાના મંદિરના મહત્વને ધ્યાનમાં રાખીને બીએસએફ એ અહીં પોતાની ચોકી બનાવી છે. એટલું જ નહીં, બીએસએફનાં જવાનો તરફથી અહીં મંદિરની સારસંભાળ લેવામાં આવ છે. મંદિરની સફાઈથી લઈને પૂજા અર્ચના અને અહીં આવનાર ભક્તો માટે સુવિધાઓ આપવાનું કામ પણ બીએસએફના જવાનો જ કરે છે.