તીડના હુમલાથી પાકિસ્તાન સરકાર પણ પરેશાન છે. આમાંથી મુક્તિ મેળવવા માટે પાક સરકાર તેના પાઇલટ પ્રોજેક્ટને વિસ્તૃત કરવા જઈ રહી છે. આ અંતર્ગત, તીડને પકડવા બદલ ખેડુતોને 20 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવામાં આવશે. આ તીડનો ઉપયોગ મરઘીઓ માટે પ્રોટીનયુક્ત અનાજ બનાવવા માટે કરવામાં આવશે.
પાકિસ્તાન સરકારનો કીમિયો
તીડ વેચો, પૈસા કમાવો
તીડના હુમલાથી ભારત અને પાકિસ્તાનના અનેક રાજ્યો પરેશાન છે. ભારતથી પાકિસ્તાનમાં પ્રવેશતા તીડના ટોળાઓએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પાકને નિશાન બનાવ્યા છે. જેના કારણે ખેડુતોને ભારે નુકસાન થયું છે. તીડના હુમલોથી બચવા માટે પાકિસ્તાને એક રસ્તો શોધી કાઢ્યો છે. સરકારે ખેડુતોને તીડ પકડીને સરકારને સોંપવાની અપીલ કરી છે. જેનો ઉપયોગ મરઘીના દાણા તરીકે કરવામાં આવશે. આનાથી ખેડુતોને વધારાની આવક રળવામાં પણ મદદ મળશે.
તીડ પકડવાથી ખેડૂતોને થશે ફાયદો
‘ધ ડોન’ માં પ્રકાશિત એક સમાચાર મુજબ, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આ પાઇલટ યોજનાને દેશભરમાં ફેલાવવા માગે છે. તીડ પકડવાના બદલામાં ખેડુતોને પૈસા આપવામાં આવશે. આનાથી ગરીબ ખેડૂતોને મોટો ફાયદો થશે. પકડાયેલા તીડનો ઉપયોગ પોલ્ટ્રી ફાર્મ માટે પ્રોટીનયુક્ત ઘાસચારો બનાવવા માટે થશે. પંજાબ પ્રાંતના ઓકરામાં સૌ પ્રથમ આ યોજના પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવી હતી, જ્યાં ખેડુતોને પ્રતિ કિલો તીડ 20 રૂપિયાની ચુકવણી કરવામાં આવી.
ખેડુતોને 20 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવામાં આવશે
તીડના હુમલાને કારણે પાકિસ્તાનના ખેડુતોને ભારે હાલાકી વેઠવી પડી છે. આ ઉપરાંત પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં હજારો હેક્ટરમાં પાકનો નાશ થયો છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે નવા તીડના ટોળા ઈરાન અને પશ્ચિમ આફ્રિકા સ્થિત દેશો પર હુમલો કરી શકે છે.
2018માં ચક્રવાતને કારણે ઓમાનના રણમાં તીડ માટે પરફેક્ટ બ્રિડીંગ ગ્રાઉન્ડ તૈયાર થયું. આ પછી, તીડના ટોળા યમન તરફ આગળ વધ્યા, પછી સોમાલિયા અને બાકીના પૂર્વ આફ્રિકન દેશમાં પહોંચ્યા. બીજી બાજુ, ઇરાન, સાઉદી અરેબિયા અને યમનથી અન્ય એક ટોળું નીકળ્યું. આ ઝુંડ પાકિસ્તાન અને ભારતમાં પ્રવેશી ચૂક્યું છે. ભારત અને પાકિસ્તાનના ખેડૂતો આ તીડના આતંકથી ખૂબ પરેશાન છે.