પાકિસ્તાનના ખેબર-પખ્તૂનખ્વા પ્રાંતની સરકારે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. મશહૂર બોલિવૂડ અભિનેતા રાજ કપૂર અને દિલીપ કુમારના પૈતૃક ઘરને ખરીદવાનો નિર્ણય કર્યો છે. બંને કલાકારોના ઘર જર્જરિત હાલતમાં છે, પુરાતત્વ વિભાગે આ ઇમારતોને ખરીદવાનો નિર્ણય કર્યો છે અને તેને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવી છે.
100 વર્ષ જૂના ઘર નહી ટૂટે
રાજ કુમારનુ ઘર ત્યાં છે કપૂર હવેલી
પાકિસ્તાન સરકાર ખરીદશે બંને ઘર
100 વર્ષ જુનુ છે દિલીપ કુમારનું ઘર
રાજ કપૂરના પૈતૃક ઘરને કપૂર હવેલી નામથી ઓળખવામાં આવે છે. આ હવેલી કિસ્સા ખ્વાની બજારમાં આવેલી છે. જેને રાજ કપૂરના દાદા બશેશ્વરનાથ કપૂરે 1918થી 1922 વચ્ચે બનાવડાવી હતી. રાજ કપૂર અને તેમને અંકલ ત્રિલોક આ ઘરમાં પેદા થયા હતા.
અભિનેતા દિલીપ કુમારનું 100 વર્ષ જુનુ ઘર પણ આ એરિયામાં જ આવેલું છે. આ ઘરને જર્જરિત હાલતમાં 2014માં નવાઝ શરીફ સરકારે રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કર્યુ હતું.
ખાને કહ્યું કે આ બંને ઐતિહાસિક ઘરને તોડીને કમર્શિયલ પ્લાઝા બનાવવાનો પ્રયત્ન કરી ચુક્યા છે પરંતુ દરેક વખતે તે નિષ્ફળ રહ્યાં. કારણકે પુરાતત્વ વિભાગ તેને સંરક્ષિત કરવા માંગતા હતા.
અલીએ દાવો કર્યો છે કે, ઇમારતના માલિકે સરકારને વેચવા માટે 200 કરોડ રૂપિયાની માંગ કરી છે. વર્ષ 2018માં પાકિસ્તાન સરકારે ઋષિ કપૂરના કહેવા પર કપૂર હવેલીને મ્યુઝિયમમાં બદલવાનો નિર્ણય કર્યો હતો. જે બની શક્યુ નહી. તમને જણાવી દઇએ કે પેશાવરમાં લગભગ 1800 ઐતિહાસિક ઇમારતો છે જે 300 વર્ષ જુની છે.