જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનની હલચલ જોઈને આઈબીએ દિલ્હી પોલિસને એનસીઆરમાં આતંકવાદી હુમલાનું એલર્ટ આપ્યું છે. આઈબીના ટોપ સીક્રેટ રિપોર્ટમાં કહેવાયું છે કે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ પર જૈશ એ મહમ્મદ (જેઈએમ) અને લશ્કર એ તૈયબા (એલઈટી)ની પોલ ખોલ્યા બાદ પાકિસ્તાનની આઈએસઆઈના નવા પોસ્ટ બોય અલ ઉમર મુઝાહિદ્દીન (એયૂએમ) છે અને હવે તેઓ ઘાટીથી બહાર મોટા આતંકવાદી હુમલા કરવા સક્ષમ છે.
પાકિસ્તાનના આતંકવાદી સંગઠન એયૂએમનો ખાસ અને કાશ્મીરના ખૂંખાર આતંકવાદી મુશ્તાક અહમદ જરગર ઉર્ફ મુશ્તાક લાતરામ છે. જેના મોડ્યુલે આ વર્ષે 12 જૂને શ્રીનગરની નજીક અનંતનાગમાં આતંકવાદી હુમલો કર્યો હતો. તેમાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થયા હતા. આઈબીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જરગરે જમ્મૂ કાશ્મીર અને પાકિસ્તાનના પીઓકેના યુવાનોને નિમ્યા છે. આર્ટિકલ 370 હટાવી દીધા બાદ આઈએસઆઈનો ઉદે્શ જરગરના યુવાનો પાસે જમ્મૂ કાશ્મીરની અંદર સુધી ભારતના અન્ય ભાગોમાં પણ આતંકવાદી હુમલો કરાવવાનો છે.
દિલ્હી પોલિસના મુખ્ય અધિકારીઓને સુરક્ષા સંબંધી જામકારીઆપતાં આઈબીએ તેઓને આઈએસઆઈની યોજના સામે લડવા કહ્યું અને સાથે જ એનસીઆરમાં કઠોર આતંકવાદ વિરોધી પગલાં લેવાની સલાહ આપી. પોલિસ દ્વારા લેવામાં આવેલા પગલામાં સાઈબર કેફેની સાથે સાથે જૂના ગાડી વિક્રેતાઓ, સિમ કાર્ડ વિક્રેતાઓ અને સાથે રસાયણની દુકાનો પર ખાસ નજર રાખવા સિવાય અન્ય કેટલાક ગુપ્ત પગલાં પણ લેવાઈ રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે વર્તમાનમાં એયૂએમનું મુખ્યાલય મુઝફ્ફરાબાદ (પીઓકે)માં છે. જ્યાં આ સંગઠન આઈએસઆઈ અધિકારીઓની નજર હેઠળ એક આતંકવાદી શિબિરને સંચાલિત કરે છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે હાલમાં પાકિસ્તાનની સરકાર તેની સેના અને આઈએસઆઈ મળીને કામ કરી રહ્યા છે અને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય કરવા માટે ઉતાવળા છે. રિપોર્ટમાં ઈસ્લામાબાદના ગુપ્ત લક્ષ્યને વિશે કહેવાયું છે કે ફક્ત ભડકાઉ કાર્યવાહી કરવી છે, ઈરાદો તો આંતરાષ્ટ્રિયકરણનો છે.
આ ખતરનાક યોજના માટે ઘાટીની બહાર મોટા આતંકવાદી હુમલા કરવા માટે આઈએસઆઈ ફિદાયની સંગઠનોને પ્રશિક્ષિત કરી રહ્યું છે. જેમાં પ્રમુખ રૂપથી એયૂએમ છે. રિપોર્ટમાં કહ્યું છે કે આર્ટિકલ 370 હટાવાયા બાદ કાશ્મીર પર પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાના સ્પષ્ટ રૂપથી આઈએસઆઈને મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની આતંકવાદી સંગઠનોને જવાબદારી આપવાની છૂટ આપી છે.
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આઈએસઆઈ ફિદાયીનના માધ્યમથી આતંકવાદી હુમલાની યોજના તૈયાર કરી રહ્યું છે. તેમાં કોઈ માનવ બોમ્બ હોઈ શકે છે અથવા ભારે વિસ્ફોટકોથી ભરેલું કોઈ વાહન પણ હોઈ શકે છે. દુનિયાનું ધ્યાન ખેંચવા માટેના હેતુથી મોટો આતંકવાદી હુમલો કરવા માટે આતંકવાદી આઈઈડીઝ લગાવવાની સાથે ઉચ્ચ સુરક્ષાવાળા સ્થળો, ઘાટીની બહાર ભારતના પ્રમુખ શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટનાઓ સર્જાઈ શકે છે.