સિખ શ્રદ્ધાળુઓ માટે એમના પહેલા ગુરુનાનક દેવની કર્મસ્થળી કરતારપુર સુધી પહોંચલું સરળ થાય, એ માટે ભારત અને પાકિસ્તાને કરતારપુર કૉરિડોર બનાવવાનો નિર્ણય લીધો હતો. બંને દેશોના આ નિર્ણયથી સિખ શ્રદ્ધાળુઓ માટે પવિત્ર ગુરુદ્વારા નનકાના સાહિબ જવાનું સરળ થઇ જશે. એની સાથે જ પાકિસ્તાનને હવે શારદા પીઠ કૉરિડોરને ખોલવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનમી મીડિયા રિપોર્ટ અનુસાર પાક સરકારે શારદા પીઠ કૉરિડોરને ખોલવા માટે લીલી ઝંડી દેખાડી દીધી છે. જણાવી દઇએ કે કાશ્મીરી પંડિતોનો એક સમૂહ શારદા પીઠને ખોલવાની માંગ કરી રહ્યું છે. આ એક મહત્વપૂર્ણ મંદિર છે જે લાઇન ઑફ કંટ્રોલમાં આવે છે. આટલું જ નહીં, જમ્મુ-કાશ્મીરની મુખ્યધારામાં રહેલા રાજકીય દળો જેમ કે પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી પણ એને લઇને અવાજ ઊઠાવતી રહે છે.
શારદા પીઠ મંદિર પાક પ્રશાસિત કાશ્મીરમાં સ્થિત છે. કાશ્મીરના કુપવાડાથી આશરે 22 કિલોમીટર દૂર સ્થિત આ મંદિર માટે એવું માનવામાં આવે છે કે શારદા પીઠ મંદિર હિંદુઓનું આશરે પાંચ હજાર વર્શ જૂનું ધર્મસ્થળ છે. ઇતિહાસકારોના પ્રમાણે મહારાજ અશોકે એને 237 ઇસા પૂર્વમાં એનું નિર્માણ કરાવ્યું હતું.