પુલવામા હુમલા બાદ જવાબી કાર્યવાહીથી ડરેલું પાકિસ્તાન હવે આતંકીઓને લઈને ચિંતાતૂર છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાની સેનાએ જૈશ-એ-મહમ્મદના ચીફ મસૂદ અઝહર અને લશ્કરના ચીફ હાફિઝ સઈદને થોડા દિવસ માટે અંડરગ્રાઉન્ડ રહેવા અને લોકોની વચ્ચે ન જવા સલાહ આપી છે.
મહત્વનું છે કે પુલવામા હુમલા બાદ ભારતની કુટનિતિક પ્રયાસો બાદ પાકિસ્તાન પર ઈન્ટરનેશનલ કમ્યુનિટીનું દબાણ સતત વધી રહ્યું છે. આ જ કારણે પાકિસ્તાને મસૂદ અઝહર અને હાફિઝ સઈદને ચૂપ બેસવા માટે કહી દીધું છે.
તમને જણાવી દઈએ કે મસૂદ અઝહર જૈશ-એ-મહમ્મદનો ચીફ અને પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. એમ પણ મસૂદ અઝહર કેમેરા સામે આવતા બચી રહ્યો છે અને ખાસ કરીને હાલ પુલવામા હુમલા બાદ પાકિસ્તાન ચારેય બાજુથી ઘેરાયું છે. ત્યારે પાકિસ્તાની સેનાએ મસૂદ અઝહરને જાહેર જગ્યાએ ન જવા અને થોડા દિવસ અંડરગ્રાઉન્ડ રહેવા માટે અપીલ કરી છે.
તો સાથે જ હાફિઝ સઈદને પણ આવી સલાહ આપવામાં આવી છે. જોકે આવી ઘટનાઓ બાદ પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપી રહ્યું છે તે દુનિયાની સામે આવી ગયું છે. મસૂદ અઝહર દુનિયાને દેખાય કે ન દેખાય સૌ જાણે છે કે તે પાકિસ્તાનમાં રહે છે અને બાવલપુરમાં તેનું હેડક્વાર્ટર છે અને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે મસૂદ અઝહર પાકિસ્તાની સેના અને ISIનો એક હથિયાર છે.
તો હાફિઝ સઈદે આ વર્ષે ચૂંટણી પણ લડી હતી.જેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના પર અમેરિકાએ 10 મિલિયન ડૉલરનું ઈનામ પણ જાહેર કરેલું છે. ત્યારે પાકિસ્તાને આ બન્ને આતંકવાદીઓને દુનિયાની સામે ન આવવા માટે અપીલ કરી છે.