જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35એ હટાવ્યા બાદ પાકિસ્તાન સતત ભારતમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે. મળતી માહિતિ અનુસાર પાકિસ્તાનના કાશ્મીર એટલે કે પીઓકે અને જમ્મૂ કાશ્મીરને લગતી અંર્તરાષ્ટ્રીય સીમા પર આતંકીઓને ફરી સક્રિય કરવામાં આવ્યા છે.
ફાઇનાન્શિયસ એક્શન ટાસ્ક ફોર્સના આધારે 2019 સુધી બંધ કરવામાં આવેલી આતંકી છાવણીમાં છેલ્લા અઠવાડિયાથી સક્રિયતા વધી રહી છે. પીઓકેના કોટલી, રાવલકોટ, બાઘ અને મુઝફ્ફરાબાદમાં આતંકી છાવણી ફરી સક્રિય બની છે. તેને લઈને ભારતીય સુરક્ષા સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. રિપોર્ટના આધારે લશ્કર, જૈશ અને તાલિબાનના લગભગ 150 આતંકી કોટલીની નજીક ફાગૂશ અને કુંડ છાવણી તથા મુઝફ્ફરાબાદના વિસ્તારમાં શવાઈ નલ્લાહ અને અબ્દુલ્લા બિન મસૂદની છાવણીમાં ભેગા થયા છે. જૈશ સરગના મસૂદ અઝહરનો ભાઈ ઈબ્રાહિમ પણ પીઓકેમાં જોવા મળ્યો છે.