પાકિસ્તાનના વિદેશ સચિવ અને પૂર્વ ઉચ્ચાયૂક્ત સોહેલ મહમૂદ ઇદના અવસર પર દિલ્લીમાં ઉપસ્થિત હતા. જેને લઇને પાકિસ્તાન વિદેશ સચિવ અને ભારતીય અધિકારીઓ વચ્ચેની બેઠકને લઇને શક્યતાઓ જોવામાં આવી રહી છે.
જો કે સૂત્રોને મળતાં અહેવાલ મુજબ આ બેઠકમાં આગામી અઠવાડિયે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારી SCOની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાનની બેઠકની અટકળો તેજ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે સોહેલ મહમૂદ એપ્રિલમાં ઇસ્લામાબાદ પરત ફરી ગયા હતા.
જો કે સોહેલ મહમૂદની ભારતમાં ઉપસ્થિતિને લઇને ભારતીય વિદેશ મંત્રાલય તરફથી કે પાકિસ્તાન ઉચ્ચાયોગ તરફથી કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે મહમૂદ પહેલા ભારતમાં પાકિસ્તાની ઉચ્ચાયોગ હતા હવે તેમની નિમણૂંક વિદેશ સચિવ તરીકે કરવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ સચિવ મહમૂદે દિલ્લીની ઐતિહાસિક જામા મસ્જિદમાં ઇદની નમાજ અદા કરી હતી.
એક મળતાં અહેવાલ મુજબ એવુ માનવામાં આવી રહ્યું છે કે તેઓ દિલ્લી ખાતે પોતાના પરિવારને પરત લેવા આવ્યાં છે. જો કે તેમની ભારતની મુલાકાતને લઇને અટકળો લગાવામાં આવી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન વચ્ચે આગામી SCOમાં બેઠક યોજાઇ શકે છે.