સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે એક વિશેષ કાર્યક્રમમાં જમ્મૂ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનું પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીને માટે મોંઘું સાબિત થયું. ભારતે પાકિસ્તાનને આતંકવાદનો ગઢ અને પનાહગાર કહ્યું અને તેની બોલતી બંધ કરી. ભારતે કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે આતંક ફેલાવનારાને ટ્રેનિંગ આપે છે અને તેમને શહીદનો દરજ્જો આપે છે.
ભારતે એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર અત્યાચાર વધી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીના કાશ્મીર મુદ્દાને લઈને બોલવા લાગ્યા ત્યારે ભારતે જવાબ દેવાના અધિકારમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પહેલી સચિવ વિદિશા મૈત્રાએ કુરૈશીના ભાષણને ભારતના આંતરિક કેસમાં ક્યારેય ખતમ ન થનારો મનગઢંત વિચાર ગણાવ્યો.
ભારત કુરૈશીના કાશ્મીરના દુર્ભાવનાપૂર્ણ ઉલ્લેખની નકારે છે
સોમવારે શરૂ થયેલા સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમમાં મૈત્રાએ કહ્યું કે હું ઉત્તર આપવાના અધિકારના આધારે પાકિસ્તાનના પ્રતિનિધિના નિવેદનનો જવાબ આપવા ઈચ્છું છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાન આ રીતે મંચનો ઉપયોગ વારે ઘડી મિથ્યા આરોપ લગાવવા માટે કરવા ઈચ્છે છે. પાકિસ્તાનના પ્રતિનિધિનો જે વિચાર અમે સાંભળ્યો છે તે ભારતના આંતરિક કેસમાં ક્યારેય ખતમ ન થનારો મનગઢંત વિચાર છે. તેઓએ કહેયું કે ભારત કુરૈશાના જમ્મૂ કાશ્મીરના દુર્ભાગ્યપૂર્ણ ઉલ્લેખને નકારે છે જે ભારતનું અભિન્ન અંગ છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે જો સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ એવો એજન્ડા છે જે પૂરો ન થયો તો તે વધતા આતંકવાદ સામે લડવું પડશે. પાકિસ્તાન એક એવો દેશ છે જે આખી દુનિયામાં આતંકવાદના કેન્દ્રની રીતે કુખ્યાત છે. પાકિસ્તાનને પોતે આતંકવાદીઓને શરણ આપવા અને પ્રશિક્ષણ આપવા તથા તેમને શહીદનો દરજ્જો આપવાનો સ્વીકાર કર્યો છે. જ્યારે પાકિસ્તાન પોતે અલ્પસંખ્યકોની વિરુદ્ધ જ્યાદતી કરી રહ્યું છે.