આના માધ્યમથી ભારત કાશ્મીરની જનસંખ્યાને બદલવાનો પ્રયાસ
પાકિસ્તાન માટે 35 એ મહત્વનું છે કેમ કે...
કાશ્મીરની 370ની કલમ ભારતનો આંતરિક મામલો
ભારત- પાકિસ્તાનમાં બેક ચેનલ વાર્તાના રિપોર્ટની વચ્ચે કાશ્મીર પર પાકિસ્તાની સૂર નરમ થયા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યુ કે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવું ભારતનો આંતરિક મામલો છે.
આના માધ્યમથી ભારત કાશ્મીરની જનસંખ્યાને બદલવાનો પ્રયાસ
પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કુરૈશીના અનુચ્છેદ 370ને ભારતનો આંતરિક મામલો ગણાવતા કહ્યુ કે તે નિર્ણયને ભારતના સુપ્રીમમાં પડકારવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે તે હિસાબથી અનુચ્છેદ 370 એટલો મહત્વનો નથી. તેમને પૂછવામાં આવ્યુ કે પાકિસ્તાન માટે શુ મહત્વપૂર્ણ છે. આના પર તેમણે કહ્યું કે અનુચ્છેદ 35એ. કુરેશીએ કહ્યુ કે પાકિસ્તાન માટે 35 એ મહત્વનું છે. કેમ કે આના માધ્યમથી ભારત કાશ્મીરની જનસંખ્યાને બદલવાનો પ્રયાસ કરી શકે છે. હકિકતમાં 35એને રાષ્ટ્રપતિના આદેશથી સંવિધાનમાં 1954માં સામેલ કરવામાં આવી હતી. જે અંતર્ગત જમ્મુ કાશ્મીરનો વિશેષ અધિકાર મળ્યો હતો.