પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરેશીએ દાવો કર્યો છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. પાકિસ્તાનના કેપિટલ ટીવી પર આપેલા નિવેદનમાં કુરેશીએ કહ્યું કે, 'મેં ભારતના પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહને આમંત્રણ આપ્યું છે.
9 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન
પાકના વિદેશમંત્રીએ ટીવી ચેનલમાં કર્યો દાવો
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ ઉદ્ઘાટન સમારોહમાં આપશે હાજરી
હું તેનો આભારી છું કે તેમણે મને એક પત્ર લખ્યો અને કહ્યું કે, 'હું આવીશ, પરંતુ મુખ્ય મહેમાન તરીકે નહીં પરંતુ એક સામાન્ય માણસ તરીકે.' કુરેશીએ કહ્યું કે જો તે પણ સામાન્ય માણસ તરીકે પણ જો તે આવે છે તો અમે તેમનું સ્વાગત કરીશું.
પંજાબના મુખ્યમંત્રીએ પણ આપ્યું આમંત્રણ
આ અગાઉ પાકિસ્તાનના પ્રધાન મંત્રી ઇમરાન ખાને નવેમ્બરમાં યોજાનારા કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહ માટે મનમોહન સિંહને ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું હતું. નોંધનીય છે કે, કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન 9 નવેમ્બરના રોજ થનાર છે.
Pakistan Foreign Minister, on Pak's Capital TV, on Kartarpur Corridor: I had invited former PM of India Manmohan Singh. I'm thankful to him, he wrote me a letter & said, 'I'll come but not as chief guest but an ordinary man.' We'll welcome him even if he comes as an ordinary man. pic.twitter.com/Kbx3ePhX2U
દરમિયાન, એવો દાવો કરવામાં આવ્યો હતો કે મનમોહન સિંહે કરતારપુર કોરિડોરના ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે પાકિસ્તાનનું આમંત્રણ સ્વીકાર્યું છે. તે સમયે પંજાબના મુખ્ય મંત્રી અમરિંદર સિંહે સ્પષ્ટ કર્યું હતું કે પૂર્વ પ્રધાન મંત્રી ઉદ્ઘાટન સમારોહ માટે પાકિસ્તાન જશે નહીં.
પૂર્વ પ્રધાનમંત્રીએ આમંત્રણનો કર્યો સ્વીકાર
સત્તાવાર પ્રવક્તાએ પણ આ બાબતે સ્પષ્ટતા આપી હતી કે, પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહ 9 નવેમ્બરના રોજ કરતારપુર સાહિબની મુલાકાત લેનાર પ્રથમ શીખ બેચમાં જોડાશે. પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદરસિંહે મનમોહન સિંહને બેચમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું, જેને પૂર્વ વડા પ્રધાને સ્વીકાર્યું હતું.
20 ડોલર લેવા પર અડગ પાકિસ્તાન
પાકિસ્તાને કરતારપુર કોરિડોરનો અંતિમ ડ્રાફ્ડ ભારતને મોકલ્યો છે. પાકિસ્તાન ભારતીય શીખ યાત્રાળુઓથી 3120 પાકિસ્તાની રૂપિયા (20 ડોલર) લેવા પર અડગ છે. ડ્રાફ્ટ મુજબ, દરેક યાત્રાળુ વિના કોઇ પ્રતિબંધે કરતારપુર કોરિડોરનો ઉપયોગ કરી શકે છે.