UNSCમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે પાકિસ્તાનની આલોચના કરતા કહ્યું છે કે તે આ પ્રકારના 'દુર્ભાવનાપૂર્ણ અને ખોટા પ્રાચર'નો જવાબ આપવો જરૂરી નથી સમજતા.
પાકિસ્તાને UNSCમાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો
વિદેશ મંત્રી બિલાબલ ભુટ્ટોએ કહી આ વાત
જાણો ભારતે તેનો શું આપ્યો જવાબ
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી દ્વારા મહિલાઓ, શાંતિ અને સુરક્ષા પર સુરક્ષા પરિષદની ચર્ચામાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે પાકિસ્તાનની આલોચના કરતા કહ્યું છે કે તે આ પ્રકારની 'દુર્ભાવનાપૂર્ણ અને ખોટા પ્રાચર'નો જવાબ આપવો જરૂરી નથી સમજતા.
જમ્મુ-કાશ્મીર પર જરદારીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે તેમની ટિપ્પણીને 'નિરાધાર અને રાજનીતિથી પ્રેરિત' ગણાવી હતી.
'પાકની ટિપ્પણી રાજનીતિથી પ્રેરિત'
એક રિપોર્ટ અનુસાર, "આ પહેલા કે હું પોતાની વાતને વિરામ આપુ હું કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના વિશે પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી હલ્કી, નિરાધાર ને રાજનીતિથી પ્રેરિત ટિપ્પણીને ફગાવું છું."
'તેમના ખોટા પ્રચારનો જવાબ આપવો જરૂરી નહીં'
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલી ચર્ચામાં આ વાત કહેતા કંબોજે કહ્યું, "મારૂ પ્રતિનિધિમંડળ આ પ્રકારના દુર્ભાવનાપૂર્ણ અને ખોટા પ્રચારનો જવાબ આપવો જરૂરી નથી સમજતા."
તેમણે કહ્યું, "પરંતુ, અમારૂ ધ્યાન ત્યાં છે જ્યાં આ હંમેશા રહેશે- સકારાત્મક અને દૂરંદેશી. મહિલા, શાંતિ અને સુરક્ષા એજન્ડાના પૂર્વ કાર્યાન્વયનમાં તેજી લાવવા માટે અમારા સામૂહિક પ્રયત્નોને હંમેશા મજબૂત કરવા માટે આજની ચર્ચા અત્યંત મહત્વપૂર્ણ છે. અમે ચર્ચાના નિયમનું સન્માન કરીએ છીએ અને સમયના મહત્વને ઓળખીએ છીએ. એવામાં અમારો ફોકસ વિષય પર રહેશે."
"ભારતની સાથે સામાન્ય સંબંધ જોઈએ તો..."
મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યા પર આ મહિને માઝામ્બિકના રાષ્ટ્રપતિ પદના નેતૃત્વ વાળી પરિષદની ચર્ચા વખતે પાકિસ્તાનના વિદેશ મંત્રી જરદારી દ્વારા જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કંબોઝને જડબાતોડ જવાબ આપ્યો. ભારતે પાકિસ્તાને સતત સુચિત કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશા ભારતના અભિન્ન અંગ છે અને રહેશે.
ભારતને આ વાત પર ભાર આપ્યો કે તે પાકિસ્તાનની સાથે સામાન્ય, પડોસી સંબંધ ઈચ્છે છે. પરંતુ આ પ્રકારના જુડાવ માટે ઈસ્લામાબાદને પહેલા આતંક અને શત્રુતા મુક્ત વાતાવરણ સ્થાપિત કરવું પડશે.