કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી દીધી છે. સમગ્ર દુનિયાના લોકો આ મહામારીની ચપેટમાં આવી રહ્યાં છે. ત્યારે હવે વાયરસનો કહેર રમત જગત પર પણ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ઝફર સરફરાજનું કોરોનાને કારણે નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લા 3 દિવસથી પેશાવરના એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા.
તમને જણાવી દઈએ કે, ઝફરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે, ઝફર પહેલાં એવા ક્રિકેટ જગતના ખેલાડી છે જેમનું મોત કોરોનાને કારણે થયું છે. ઉલ્લેખનીય છે કે, ઝફરે 1988માં ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
We lost our great friend and first class cricketer Zafar Sarfaraz who was tested positive Coronavirus pic.twitter.com/xC2tLc21xa
તેમણે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 15 મેચ રમી છે અને કુલ 616 રન બનાવ્યા છે. 1994માં ઝફરે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. પોતાના કરિયરમાં ઝફરે પાકિસ્તાન માટે 6 લિસ્ટ એ મેચ પણ રમી છે. ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી તેઓ પેશાવરના વરિષ્ઠ અને અંડર -19 કોચનું પદ પણ સંભાળી રહ્યાં હતા.
We have lost Zafar Sarfaraz to Corona Virus. He had played 15 first class matches from Peshawar District Cricket Association. He was tested positive 6 days ago and was on Ventilator.
Via Bilal Marwat.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં કોરોનાવાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 5500 ને વટાવી ચૂકી છે, જ્યારે 100 લોકોનાં મોતનાં સમાચાર પણ આવ્યા છે. ભારતની વાત કરીએ તો પીએમ મોદીએ દેશમાં લોકડાઉન વધારીને 3 મે કરી દીધું છે. ભારતમાં કોરોનાનાં 10,000થી વધુ કેસ નોંધાયા છે, અત્યાર સુધીમાં 300થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન મોદીએ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.