પાકિસ્તાનનાં પીએમ ઈમરાન ખાનને હજુ પણ બાલાકોટ એરસ્ટ્રાઈક જેવો ડર સતાવી રહ્યો છે. જેથી હજુ પણ પાકિસ્તાને પોતાનું એરસ્પેસ ખોલ્યું નથી. પાકિસ્તાનને ભારતનો એટલો બધો ડર સતાવી રહ્યો છે કે પાકિસ્તાને પોતાનું એરસ્પેસ ખોલવા માટે ભારત પાસે શર્ત પણ મુકી છે કે, ભારત વચન આપે કે તે ફરીથી બાલાકોટ એરસ્ટ્રાઈક જેવો હુમલો નહીં કરે. તો અમે અમારૂ એરસ્પેસ ખોલવા માટે તૈયાર છીએ.
પાકિસ્તાનનાં પીએમ ઈમરાન ખાનને હજુ પણ બાલાકોટ એરસ્ટ્રાઈક જેવો ડર સતાવી રહ્યો છે. જેથી હજુ પણ પાકિસ્તાને પોતાનું એરસ્પેસ ખોલ્યું નથી. પાકિસ્તાનને ભારતનો એટલો બધો ડર સતાવી રહ્યો છે કે પાકિસ્તાને પોતાનું એરસ્પેસ ખોલવા માટે ભારત પાસે શર્ત પણ મુકી છે કે, ભારત વચન આપે કે તે ફરીથી બાલાકોટ એરસ્ટ્રાઈક જેવો હુમલો નહીં કરે. તો અમે અમારૂ એરસ્પેસ ખોલવા માટે તૈયાર છીએ.
સૂત્રોનું કહેવું એમ છે કે આ પ્રતિબંધ 28મી જૂન સુધી વધારવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ત્યાં સુધી પોતાનું એરસ્પેસ બંધ રાખશે કે જ્યાં સુધી ભારત તરફથી કોઈ પણ પ્રકારનું આશ્વાસન ના મળે અને ભારત બાલાકોટ એરસ્ટ્રાઈક ફરીથી ના કરે. 27 માર્ચનાં રોજ પાકિસ્તાને પોતાના એરસ્પેસને ભારત સિવાય અન્ય ઉડાણો માટે ખોલ્યું હતું.
પરંતુ 15 માર્ચ બાદ પૂર્વ એરસ્પેસ પર લગાવેલા પ્રતિબંધમાં ત્રણ વખત વધારો કર્યો છે. મહત્વનું છે કે પાકિસ્તાને 26 ફેબ્રુઆરીથી પોતાનું એરસ્પેસ બંધ કર્યું છે. ત્યારે ભારતીય વાયુસેનાએ બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદના આતંકી અડ્ડાઓ પર હુમલો કરીને નેસ્તનાબૂદ કર્યા હતાં. 14 ફેબ્રુઆરીનાં રોજ પુલવામામાં જૈશનાં આત્મઘાતી આતંકીએ CRPFને નિશાન બનાવ્યું હતુ,. જેમાં 40 જવાન શહીદ થયા હતાં.
પાકિસ્તાને 26 ફેબ્રુઆરીનાં રોજ પોતાનો હવાઇ ક્ષેત્ર બંધ કરી દીધું હતું કે જ્યારે ભારતે બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદનાં આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરીને પુલવામા હુમલાનો બદલો લીધો હતો. એર સ્ટ્રાઇકનાં 12 દિવસ પહેલાં 14 ફેબ્રુઆરીનાં રોજ જમ્મુ અને કશ્મીરનાં પુલવામામાં જૈશનાં આત્મઘાતી હુમલાવરે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં કાફલા પર નિશાન બનાવ્યું હતું કે જેમાં 40 જવાનો શહીદ થઇ ગયા હતાં.
ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યું હતું F-16 વિમાનઃ
26 ફેબ્રુઆરીનાં આગામી દિવસે 27 ફેબ્રુઆરીનાં રોજ પાકિસ્તાની વાયુસેનાનાં દક્ષિણ કશ્મીરમાં ઘુસણખોરી કરીને ભારતીય સેનાનાં અડ્ડાઓને નિશાન બનાવવાની કોશિશ કરી. પરંતુ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં લડાકુ વિમાનને ન તો માત્ર ખસેડી દીધું પરંતુ એક એફ-16 વિમાનને તોડી પાડ્યું.
પાકિસ્તાન મહત્વનાં એવિએશન કોરિડોરની વચ્ચે આવે છે. આને દર દિવસે સેંકડો યાત્રીઓ અને માલવાહક વિમાનોની ઉડાણો પર અસર પડે છે. આનાંથી એરલાયન્સને ઇંધણ પર વધારે ખર્ચ ઉઠાવવો પડે છે. ત્યારે યાત્રીઓને પોતાનાં સ્થળ સુધી પહોંચવામાં પણ પહેલા કરતા વધારે સમય લાગી રહ્યો છે.