ભારતીય સેન્યની કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાયું છે. પાકિસ્તાને ભારતીય કાર્યવાહીને લઈને ઈમરજન્સીમાં પગલા લેવા પડ્યાં છે. જાણીએ ભારતે એવું તો શું કર્યું કે પાકિસ્તાન ગભરાયું છે. પાકિસ્તાને એવા તો કેવા પગલા ભર્યાં છે...
ભારતના ઓપરેશનથી ત્રાસવાદી જૂથમાં ખળભળાટ
ભારતની કાર્યવાહીથી બોખલાયું પાકિસ્તાન
પાકિસ્તાને ભારતીય ક્રાયવાહી સામે બેઠક બોલાવી
ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારની બેઠક બોલાવવામાં આવી
ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનમાં બન્ને ગૃહમાં ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ બોલાવી છે. સૂત્રોનાં જણાવ્યાંનુંસાર પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારની બેઠક બોલાવવામાં આવી હતી.
ભારતે આ ઓપરેશન હાથ ધર્યું છે
ભારત અને આંતરરાષ્ટ્રીય સંબંધ મુદ્દે આ ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. છેલ્લાં કેટલાક દિવસથી બોર્ડર પર તંગદિલી ભર્યું વાતાવરણ છે. ભારતે ઘૂસણખોરોને ખદેડવા માટે ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન નીલમ વેલી, મુઝફરાબાદ અને જેલમ વેલીમાં ચાલી રહ્યું છે. પાકિસ્તાનમાં બેઠક ભારતનાં આ આક્રમક જવાબનાં બદલામાં બોલાવવમાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોટલી, ભીમ્બેર, હવેલીમાં પણ ભારતે ઓપરેશન હાથ ધર્યું છે.
ભારતના ઓપરેશનથી ત્રાસવાદી જૂથમાં ખળભળાટ
શિયાળાનો ફાયદો ઉઠાવવા માટે ત્રાસવાદીઓ સક્રિય થયા છે. ભારતનાં આ ઓપરેશનોથી ત્રાસવાદી જૂથોમાં ખળભળાટ વ્યાપ્યો છે. તેમજ ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન બોખલાયું છે. ભારતની આ કાર્યવાહીમાં ભારતનાં 2 જવાન શહીદ થયાં છે. ઉલ્લેખનીય છે કે ભારતની આ કાર્યવાહી પાકિસ્તાનને ભારે નુકશાન થઈ શકે તેનાં કારણે આ બેઠક બોલાવવામાં આવી બોલાવી હોવાનું મનાઈ રહ્યું છે.