હકીકતમાં 2018 ની સાલમાં કરાંચી સ્થિત ચીની વાણિજ્ય દુતાવાસ પર થયેલા એક હુમલામાં પાકિસ્તાને ભારતને ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આ હુમલામાં ચાર લોકો માર્યા ગયા હતા. આતંકવાદ વિરોધી કોર્ટે 26 મે ના દિવસ કરાંચી ચીની વાણિજ્ય દુતાવાસ પર થયેલા હુમલામાં વિદ્રોહી સમૂહ બલુચ લિબરેશનના સંદિગ્ધ સભ્યોની સામે સાક્ષીઓ રજૂ ન કરવા બદલ સરકારી વકીલ પર નારાજગી જાહેર કરી.
ભારતે હુમલો કરાવ્યો,પાકિસ્તાનનો આરોપ
મીડિયા રિપોર્ટ અનુસાર, ચાર્જશીટ અનુસાર, આરોપ છે કે પાકિસ્તાન અને ચીનના સંબંધોને નુકશાન પહોંચાડવા તથા ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર પ્રોજેક્ટને બાધિત કરવા માટે ભારતની ગુપ્તચર એજન્સી રોની સાથે મળીને વિદ્રોહી સમૂહ બલુચ લિબરેશન આર્મી દ્વારા કરાંચી સ્થિતિ ચીની દુતાવાસ પર હુમલો કરાયો હતો. રિપોર્ટ અનુસાર ચાર્જશીટમાં કહેવાયું છે કે આતંકવાદીઓ ચીની દુતાવાસની બિલ્ડિંગ પર ફાયરિંગ કરીને હાથગોળા ફેંક્યા હતા જેમાં સહાયક ઉપ નિરિક્ષક અશરફ દાઉદ, પોલિસ કોન્સ્ટેબલ મોહમ્મદ આમીર તથા વીઝા લેવા આવેલા તાહિર શાહ તથા તેના પિતા નિયાઝ અહેમદનું મોત થયું હતું.
એટીસી જજે આ કેસમાં તપાસ અધિકારીને આદેશ આપ્યો હતો કે ફરીયાદકારે 7 જુલાઈએ કોર્ટમાં હાજર રાખવામાં આવે કારણ કે સમન જારી થયા બાદ છેલ્લી ચાર સુનાવણીમાં હાજર રહ્યો નથી. કોર્ટે જાન્યુઆરીમાં પાંચ લોકો પર ગુનેગારોને હથિયાર પુરા પાડવાના તથા ફંડ પુરુ પાડવાના આરોપસર દોષી ઠેરવ્યાં હતા. હથિયારોથી સજ્જ ત્રણ આતંકવાદીઓએ 23 નવેમ્બર 2018 ના રોજ ક્લિફ્ટન સ્થિત ચીની દુતાવાસ પર હુમલો કર્યો હતો.