જમ્મૂ-કશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ઉશ્કેરાઈ ગયું છે અને ભાજપ વિરુદ્ધ સતત ષડયંત્ર રચી રહ્યું છે. વિશ્વભરમાંથી સમર્થન ન મળ્યા બાદ હવે મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનનો સાથ આપ્યો નથી. ભારતના કૂટનીતિક ઘેરાવ બાદ પાકિસ્તાન સમગ્ર વિશ્વથી અલગ પડી ચૂક્યું છે.ઉલ્લેખનીય છે કે કાશ્મીર પર ભારતને ઘેરવાની પાકિસ્તાનની કોશિશ UNHRCમાં અસફળ રહી છે.
કાશ્મીર મુદ્દે UNHRCમાં પાકિસ્તાનને મોટી હાર મળી
પ્રસ્તાવ લાવવા માટે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રિય સ્તરે પૂરતું સમર્થન મળ્યું નહીં
આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતની મોટી રાજકીય જીત ગણાઈ રહી છે
ઈમરાન ખાને સાઉદી ક્રાઉન પ્રિસ મહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી અને કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. જોકે સાઉદી અરબ તરફથી શું પ્રતિક્રિયા આવી તે અંગે જાણી શકાયું નથી. તમને જણાવી દઈએ કે આ અગાઉ સાઉદી અરેબિયાએ ઈમરાન ખાનને PM નરેન્દ્ર મોદી સાથે ખરાબ ભાષામાં વાત ન કરવાની સલાહ આપી હતી.
કાશ્મીર મુદ્દા પર આંતરરાષ્ટ્રિય જગતમાં કોઈ ખાસ પ્રતિસાદ ન મળ્યા બાદ પાકિસ્તાનને ફરી એક વાર સંયુક્ત રાષ્ટ્રમાં નીચું જોવાનો વારો આવ્યો છે. કાશ્મીરમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘનના નામે UNHRCમાં પ્રસ્તાવ લાવવાની કોશિશ બેકાર રહી છે. જિનિવામાં ચાલી રહેલા 42મા માનવાધિકાર સેશનમાં પાકિસ્તાનને મંજૂરી મેળવવા માટે પૂરતું સમર્થન મળ્યું નથી. ભારતની તરફથી આ આંતરરાષ્ટ્રિય સ્તરની મોટી રાજકીય જીત છે. દરેક પ્રમુખ આંતરરાષ્ટ્રિય મંચ પર ભારત સફળતા સાથે જમ્મૂ કાશ્મીરના આર્ટિકલ 370ને સમાપ્ત કરવા માટેનો આંતરિક મુદ્દો ગણાવી ચૂક્યું છે.
મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનને સમર્થન આપ્યું નહીં
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને ગુરુવારની મોડી રાતે આંતરરાષ્ટ્રિય સમુદાયથી પૂરતું સમર્થન મળ્યું નથી. પાકિસ્તાન આંતરરાષ્ટ્રિય સ્તરે કાશ્મીર પર સમર્થન મેળવવાની સંભવ કોશિશ કરી રહ્યું છે. ઈસ્લામાબાદની કોશિશ સતત અસફળ થઈ રહી છે અને સાથે તેને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશનથી પણ સહયોગ મળ્યો નથી.
UNHRCમાં ભારતીય દળે મૂક્યો પોતાનો પક્ષ
UNHRCમાં 47 દેશો ભાગ લઈ રહ્યા છે અને ભારતીય દળ પણ પોતાનો મત આપી રહ્યું છે. ભારતીય ટુકડીનું નેતૃત્વ રાજદ્વારી અજય બિસારિયા કરે છે. બિસારિયા અગાઉ પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશ્નર રહી ચૂક્યા છે. કાશ્મીર મુદ્દે ઇસ્લામાબાદના ખોટા આરોપોનો જવાબ આપવા ભારતીય ટીમે નોંધપાત્ર તૈયારીઓ કરી છે.
ખૂલી ઈમરાનના જૂઠાણાની પોલ
ગયા અઠવાડિયે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો હતો કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને અન્ય દેશોનો ઘણો ટેકો મળી રહ્યો છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, "કાશ્મીરીઓને તેમના અધિકાર આપવા અને તેમના હકના સમર્થનમાં 58 દેશોને ટેકો મળ્યો છે." જો કે, 12 સપ્ટેમ્બરના રોજ યુએનએચઆરસીમાં ભારતે પાકિસ્તાનના જૂઠ્ઠાણાને ખુલ્લું પાડ્યું હતું.
ભારતે જ ખોલી પાકિસ્તાનની પોલ
પાકિસ્તાને યુએનએચઆરસીમાં કાશ્મીરમાં ભારત પર માનવાધિકારના ભંગનો આરોપ લગાવ્યો હતો. જોકે, પાકિસ્તાનના આક્ષેપોના જવાબમાં ભારતે પાકિસ્તાનને સરહદ આતંકવાદ માટે દોષી ઠેરવ્યું હતું. ભારતે પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદનો ગઢ પણ ગણાવ્યો હતો.