પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાને કૉન્સુલર એક્સેસ આપવાનું કહ્યું છે. આ વાતની જાણકારી પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે આપી છે. વિયના સંધિ અનુસાર અને આંતરરાષ્ટ્રીય કોર્ટનું પાલન કરતા આજે એટલે કે સોમવારનાં રોજ પાકિસ્તાન કુલભૂષણ જાધવને કૉન્સુલર એક્સેસ આપશે. શું આપ જાણો છો કે શું છે આ કૉન્સુલર એક્સેસ. આનાંથી કુલભૂષણ જાધવને શું સુવિધાઓ મળશે.
સૌ પહેલાં આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન પહેલાં પણ કૉન્સુલર એક્સેસની ઓફર આપી ચૂકેલ છે. પરંતુ તે સમયે પાકિસ્તાને આમાં અનેક શરતો જોડી દીધી હતી કે જેનો વિરોધ ભારતે કર્યો હતો. જ્યાર બાદ રવિવારનાં (1 સપ્ટેમ્બર 2019)નાં રોજ પાકિસ્તાન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈસલે એક વાર ફરી કૉન્સુલર એક્સેસ આપવાની જાણકારી આપી હતી.
સૌ પહેલાં આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન પહેલા પણ કૉન્સુલર એક્સેસની ઓફર આપી ચૂક્યું છે. પરંતુ તે સમયે પાકિસ્તાને આમાં અનેક શરતો જોડી દીધી હતી કે જેનો વિરોધ ભારતે કર્યો હતો. જ્યાર બાદ રવિવારનાં રોજ (1 સપ્ટેમ્બર 2019)નાં રોજ પાકિસ્તાન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈસલે એક વાર ફરી કૉન્સુલર આપવાની જાણકારી આપી હતી.
Consular access for Indian spy Commander Kulbhushan Jadhav, a serving Indian naval officer and RAW operative, is being provided on Monday 2 September 2019, in line with Vienna Convention on Consular relations, ICJ judgement & the laws of Pakistan.
પાકિસ્તાનમાં કેદ કુલભૂષણ જાધવની ધરપકડનાં ત્રણ વર્ષ બાદ સોમવારનાં રોજ કોન્સુલર એક્સેસ મળ્યું. જેમાં પાકિસ્તાનમાં ભારતીય ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયાએ ઇસ્લામાબાદમાં કુલભૂષણ સાથે મુલાકાત કરી. આ મુલાકાત ક્યાં થઇ, તેનાં વિશે કોઇ જ જાણકારી આપવામાં ના આવી. પહેલાં કહેવાયું હતું કે આ મુલાકાત પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં થશે. ગૌરવ અહલૂવાલિયા અને કુલભૂષણ જાધવની વચ્ચે આ મુલાકાત અંદાજે અઢી કલાક સુધી ચાલી.
આખરે શું હોય છે આ કૉન્સુલર એક્સેસ?
કોઇ દેશનો વ્યક્તિ જ્યારે કોઇ બીજા દેશમાં કેદ છે તો તેને કૉન્સુલર એક્સેસ અંતર્ગત તે દેશનાં રાજદ્વારી અથવા અધિકારીને જેલમાં બંધ કેદીને મળવાની પરવાનગી આપવામાં આવે છે.
સરળ શબ્દોમાં આને સમજીએઃ
કુલભૂષણ જાધવ ભારતીય નાગરિક છે. તેને પાકિસ્તાને જેલમાં કેદ કરી રાખેલ છે. હવે બંને સરકારોની સહમતિ બાદ જે ભારતીય રાજદૂત અથવા અધિકારી કુલભૂષણ જાધવ સાથે મુલાકાત કરશે, તેને કૉન્સુલર એક્સેસ કહેવામાં આવશે.
મળે છે આ સવાલ પૂછવાનો અધિકાર
બીજા દેશની જેલમાં કેદ કેદીને તેનાં દેશનાં રાજદ્વારી અથવા અધિકારીને જેલમાં કેદી સાથે પૂછપરછ કરવાનો અધિકાર મળે છે. જે રીતે તેઓ પૂછી શકે છે.
#કેવો વ્યવહાર હોય છે કેદી સાથે?
#કેદી શું ઇચ્છે છે?
આપને જણાવી દઇએ કે, કેદીનાં જવાબને વિશે જો જાણ્યાં બાદ રાજદ્વારી પોતાની સરકારને પૂરો રિપોર્ટ મોકલે છે. જ્યાર બાદ આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. વિયના સંધિની કલમ 36 અનુસાર, જ્યારે કોઇ વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવે ત્યારે તપાસ અને ધરપકડમાં રાખવા દરમ્યાન કેદીને કૉન્સુલર એક્સેસ (રાજદ્વારી પહોંચ) આપવું ફરજિયાત છે.
ક્યારે બન્યું હતું કૉન્સુલર એક્સેસ?
કૉન્સુલર એક્સેસનો સિદ્ધાંત 1950-60નાં દશકમાં બન્યો હતો. 1963માં કૉન્સુલર એક્સેસ પર વિયના કન્વેંશન (VCCR) થઇ હતી.