દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના વાયરસનાં કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે યુપીનાં યોગી આદિત્યનાથની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં કોરોના વાયરસ સામે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી તે માટે યોગી આદિત્યનાથનાં વખાણ કરવામાં આવી રહ્યા છે ત્યારે દુશ્મન દેશ પાકિસ્તાનમાં પણ યોગી આદિત્યનાથનો ડંકો વાગી રહ્યો છે. ઈમરાન ખાન અને યોગી આદિત્યનાથની સરખામણી કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનની મીડિયા યોગી આદિત્યનાથથી પ્રભાવિત
ઈમરાન ખાન કરતા યોગીને ચડિયાતા દર્શાવાયા
યુપીમાં કોરોના સંક્રમણ સામે કાર્યવાહી માટે યોગીના વખાણ
કોરોના વાયરસ સામે લડવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બધી જ જગ્યાએ ચર્ચા થઇ રહી છે. દેશ અને દુનિયામાં જ નહીં પણ ભારતના સૌથી મોટા દુશ્મન દેશ પાકિસ્તાનમાં પણ યોગીનાં વખાણ થઇ રહ્યા છે. પાકિસ્તાનના સૌથી ચર્ચિત અખબાર ધ ડોનના સંપાદક ફહદ હુસૈન પણ કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન યોગી આદિત્યનાથે લીધેલા નિર્ણયોનાં ખૂબ વખાણ કર્યા. તેમણે ટ્વીટ કરીને યોગી આદિત્યનાથ અને પાકિસ્તાનના ઈમરાન ખાન સરકારની તુલના કરી જેમાં યોગીને ઈમરાન ખાન કરતા પણ વધુ સારા બતાવવામાં આવ્યા.
ટ્વીટ કરીને ફહદે લખ્યું કે ઉત્તરપ્રદેશની વસ્તી પાકિસ્તાનથી પણ વધારે છે. પાકિસ્તાનની વસ્તી 208 મિલિયન છે જ્યારે યુપીમાં 225 મિલિયન વસ્તી છે પરંતુ પાકિસ્તાનની સરખામણીમાં ઉત્તરપ્રદેશમાં મૃત્યુદર ખૂબ ઓછો છે. ફહદે આ ટ્વીટની સાથે એક ગ્રાફ પણ શેર અક્ર્યો જેમાં લખ્યું કે આ ગ્રાફ ધ્યાનથી જુઓ, કોરોનાથી પાકિસ્તાન અને ભારતના યુપીમાં થનાર મોતની સરખામણી. બંનેની વસ્તી અને સાક્ષરતા એક સમાન છે અને પાકિસ્તાન ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.
તેમણે કહ્યું કે યુપીમાં લોકડાઉનનું કડક પાલન કરાવવામાં આવ્યું જે પાકિસ્તાનમાં ન થઈ શક્યું. જેનું પરિણામ આવ્યું કે પાકિસ્તાનમાં સંક્રમણ અને મોત વધારે છે ક્યારે યુપીમાં ઓછી છે. નોંધનીય છે કે યુપીમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં દસ હજારથી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે પાકિસ્તાનમાં આશરે 99 હજાર જેટલા કેસ સામે આવ્યા છે. જ્યારે મોતનાં આંકડાઓ જોઈએ તો પાકિસ્તાનમાં 2000 જ્યારે ઉત્તરપ્રદેશમાં 275 લોકોએ કોરોના વાયરસનાં કારણે જીવ ગુમાવ્યા છે.