અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો કર્યા બાદ કેટલીય વાર તાલિબાની નેતાઓની સાથે પાકિસ્તાનના નજીકના સંબંધો સામે આવ્યા છે. તો વળી માનવીય ભાવનાનું ધ્યાન રાખતા કેટલાય દેશો પોત-પોતાના સ્તરે ત્યાંના નાગરિકોની મદદ કરી રહ્યા છે.
માનવીય આધાર પર અફઘાનને મળી રહી છે મદદ
ભારતે પણ બે જથ્થામાં હજારો ટન ઘઉં મોકલ્યા
પાકિસ્તાનની ખોરી દાનત સામે આવી
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો કર્યા બાદ કેટલીય વાર તાલિબાની નેતાઓની સાથે પાકિસ્તાનના નજીકના સંબંધો સામે આવ્યા છે. તો વળી માનવીય ભાવનાનું ધ્યાન રાખતા કેટલાય દેશો પોત-પોતાના સ્તરે ત્યાંના નાગરિકોની મદદ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનમાં પણ અફઘાનિસ્તાનને ઘઉં મોકલવામાં આવ્યા હતા. જો કે, સોશિયલ મીડિયા પર કહેવાય છે કે, પાકિસ્તાને જે ઘઉં મોકલ્યા હતા, તે એકદમ ખરાબ ક્વાલિટીના હતા. જેના માટે તાલિબાની નેતાઓએ પણ પાકિસ્તાનને ખરી ખોટી સંભળાવી દીધી હતી. તો વળી આ મામલે ભારતના ખૂબ વખાણ કર્યા હતા.
પાકિસ્તાનને સડેલા ઘઉં પધરાવી દીધા
અફઘાનિસ્તાનના પત્રકાર અબ્દુલા ઓમેરીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં તાલિબાનના એક અધિકારી કહી રહ્યા છે કે, પાકિસ્તાનથી આવેલા ઘઉં ખાવા લાયક નથી. તો વળી અફઘાનિસ્તાનના લોકો ભારતને સારામાં સારી ક્વાલિટીના ઘઉં આપવા બદલ આભાર માની રહ્યા છે. હમદુલ્લા અરબાબે ટ્વિટર પર પોસ્ટ કરી છે. અફઘાનિસ્તાનના લોકોની હંમેશા મદદ કરવા માટે ભારતનો આભાર. આપણા સંબંધો હંમેશા સારા રહેશે, જય હિન્દ.
Taliban officials say wheat sent by Pakistan is bad quality while wheat sent by India far better. India started sending wheat to Afghan people last month as humanitarian assistance.pic.twitter.com/6ZoB1RuioC
એક યુઝર્સ નઝીબ ફરહોદિસે કહ્યું કે, પાકિસ્તાને જે પણ ઘઉં મોકલ્યા છે, બધા સડેલા છે અથવા તેમાં કીડા પડેલા છે. આ પ્રકારના ઘઉં ખાવા લાયક હોતા નથી. આપને જણાવી દઈએ કે, ગત મહિને માનવીય આધાર પર ભારતે અફઘાનિસ્તાનને ઘઉં મોકલવાનું શરૂ કર્યું હતું. ભારતમાંથી ઘઉંનો બીજો જથ્થો પણ નિકળી ગયો છે. અટારી બોર્ડથી ટ્રકોને અફઘાનિસ્તાન માટે રવાના કરવામાં આવ્યા છે.
ભારતે પોતાનું વચન પુરૂ કર્યું
યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડમાં ભારતે અફઘાનિસ્તાનને 59 હજાર મેટ્રિક ટન ઘઉં આપવાનું વચન આપ્યું હતું. ભારત હવે પોતાનું વચન પુરૂ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનના લોકોના હિત માટે કટિબધ્ધ છે.