દેશ તો આર્થિક સંકટનો સામનો કરી જ રહ્યો હતો પણ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની સ્થિતિનો પણ ખુલાસો થઈ ગયો છે. આ ખુલાસો પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીએ પોતે કર્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેના ખેલાડીઓની સારવાર પણ નથી કરાવી શકતી
પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીએ કર્યો ખુલાસો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાલત ખરાબ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની હાલત ખૂબ જ ખરાબ નજર આવી રહી છે. દેશ તો આર્થિક સંકટનો સામનો કરી જ રહ્યો હતો પણ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની સ્થિતિનો પણ ખુલાસો થઈ ગયો છે. જણાવી દઈએ કે આ ખુલાસો પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીએ પોતે કર્યો છે.
શાહિદે આ વિશે ખુલાસો કરતાં એક ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે 'પાકિસ્તાન બોર્ડ તેના ખેલાડીઓની સારવાર પણ નથી કરાવી શકતી. ફાસ્ટ બોલર શાહીન શાહ આફરીદી પોતાના ખર્ચે લંડન ગયો હતો અને પોતાના ખર્ચે જ સારવાર કરાવીને પરત ફર્યો હતો ત્યાં સુધી કે લંડનમાં રહેવાથી લઈને ખાવા-પીવાનો અને ટિકિટનો ખર્ચ પણ પોતે જ ઉઠાવ્યો હતો. '
શાહીને એશિયા કપમાં પણ ભાગ નહતો લીધો
જણાવી દઈએ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCBએ આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમની જાહેરાત કરી દીધી છે. અને એ ટીમમાં પાકિસ્તાનના સ્ટાર ખેલાડી શાહીન આફરીદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શાહીન હાલ જ તેનો ઈલાજ કરાવીને પરત ફર્યા છે. શાહીન આફરીદી ઈજાના કારણે એશિયા કપ પણ રમી નહતો શક્યો. એશિયા કપની કેટલીક મેચોમાં પાકિસ્તાન ટીમ સાથે રહ્યા પછી શાહીન ત્યાંથી લંડન ગયો હતો.
અહિયાંથી મેં ડૉક્ટર અરેન્જ કરી દીધા હતા - શાહિદ
શાહિદ આફરીદીએ જણાવ્યું હતું કે, 'ક્યારેક ઘણી મુશ્કેલીઓ આવી જય છે, હવે હું શાહીન વિશે જ વાત કરું તો એ છોકરો પોતે ઈંગ્લેન્ડ ગયો, પોતે જ ખર્ચો કરીને ટિકિક લીધી અને પોતાના પૈસા ખર્ચીને ત્યાં રોકાયો , તેને પોતે જ ડોકટર સાથે સંપર્ક કર્યો, અહીંથી મેં પણ ડોક્ટરની વ્યવસ્થા કરાવી. તેઓ બધું જાતે કરી રહ્યા છે પણ પીસીબી આમાં કશું કરી રહ્યું નથી.'