ધીમે ધીમે કંગાળ બની રહેલુ પાકિસ્તાન ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને ભારત પરત કરતા સમયે પણ પોતાની ગરીબીનું ઉદાહરણ રજૂ કર્યુ. વાસ્તવમાં પાકિસ્તાને પાયલટ અભિનંદનને પરત ચોક્કસથી મોકલ્યા પરંતુ તેમનો તમામ સામાન પરત નથી કર્યો.
આંતકવાદીઓના સુરક્ષિત અડ્ડો બનેલા પાકિસ્તાન ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની મુક્ત કરીને શાંતિ નોબેલ પુરસ્કારની માંગ કરી રહ્યુ છે, પરંતુ પોતાના નાપાક સ્વભાવમાંથી ઉપર નથી આવી રહ્યુ. વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે જ્યારે અટારી વાઘા બોર્ડરથી ભારતમાં દાખલ થયા ત્યારે તેઓ ખાલી હાથ અને સિવિલ ડ્રેસમાં હતા, તેમના હાથમાં ન તો કોઇ બેગ હતી ન તો કોઇ અન્ય સામાન.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગરીબીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાને દબાણ પછી ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદનને મુક્ત ચોક્કસથી કરી દીધા, પરંતુ તેમનો તમામ સામાન પરત નથી કર્યો. પાકિસ્તાનના વિંગ કમાન્ડર અભિનંદનની ઘડિયાળ, મોજા અને ચશ્મા પરત કરી દીધા, પરંતુ તેમની પિસ્તોલ, મેપ અને સર્વાઇવલ કિટ પરત નથી કરી.
તમને જણાવી દઇએ કે, અભિનંદન જ્યારે પાકિસ્તાન કબ્જાવાળા વિસ્તારમાં ઉતર્યા, તો સ્થાનીય લોકોએ તેમનો પીછો કર્યો આ દમરિયાન અભિનંદને પોતાની પિસ્તોલથી હવામાં ફાયરિંગ કરી, તેમની પાસે પિસ્ટલ હતી અને વાયુસેનાના યુનિફોર્મમાં હતા. આ સિવાય તેમની પાસે કેટલાક દસ્તાવેજો હતા, પરંતુ દુશ્મન વિસ્તારમાં પહોંચતા પહેલા જ નષ્ટ કરી દીધા.
હેંડઓવર સર્ટિફિકેટ અનુસાર, પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનની ઘડિયાળ, મોજા અને ચશ્મા પરત કરવામાં આવ્યા છે. આગળ કહેવામાં આવ્યુ છે કે, શુક્રવારે ભારતીય પાયલટ અભિનંદનને પાકિસ્તાની રેન્જર્સના ડિપ્ટી સુપરિટેન્ડેટ શહઝાદ ફૈઝલે BSF આસિસ્ટન્ટ કમાન્ડટ સંજય કુમારને સોંપ્યા.
તમને જણાવી દઇએ કે, જમ્મૂ-કાશ્મીરના પુલવામા CRPFના કાફલા પર આત્મઘાતી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો. એરસ્ટ્રાઇક દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઘણા અડ્ડાઓ પર બમબારી કરી હતી.
જોકે લડાકુ વિમાન મિગ 21 ઉડાવી રહેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન દ્વારા પાકિસ્તાનના F-16 લડાકૂ વિમાનને પાડ્યુ જે પછી સોશ્યલ મીડિયા પર તેમની સતત પ્રશંસા કરવામાં આવી રહી છે.