પાકિસ્તાનમાં ભારતની મિસાઇલ પડવાના મુદ્દે હવે રહી રહીને પાકિસ્તાન ધુંઆપુંઆ થતાં તેણે એરફોર્સના ટોચના ત્રણ અધિકારીઓને ડિસમિસ કરી દીધા છે.
પાકિસ્તાનમાં જઈને પડી ભારતની મિસાઇલ
પાકિસ્તાનમાં 3 અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા
અમેરિકાનું ભારતને સમર્થન
9 માર્ચના રોજ ભારત તરફથી પાકિસ્તાનમાં ટૅકનિકલ કારણોસર એક મિસાઈલનું આકસ્મિક ફાયરિંગ થઈ ગયું હતું. આ મુદ્દે ચોખવટ કર્યા બાદ પણ હવે રહી રહીને પાકિસ્તાનમાં પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
પાકિસ્તાનમાં 3 અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા
પાકિસ્તાની એરફોર્સના ત્રણ અધિકારીઓએ નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેમ ડેપ્યુટી ચીફ અને બે એર માર્શલનો સમાવેશ થાય છે. ભારતમાં પાકિસ્તાનના એમ્બેસેડર રહી ચૂકેલા ડો. અબ્દુલ બસિતે ખુંય હતું કે ભારત એક ખતરનાક પ્લાન કરી રહ્યું છે. ભારત એવું જ કઇંક કરવાનો પ્લાન કરી રહ્યું છે જે રશિયાએ યુક્રેનમાં કર્યું છે.
On 9 March 2022, in the course of routine maintenance, a technical malfunction led to the accidental firing of a missile. The Government of India has taken a serious view and ordered a high-level Court of Enquiry: Ministry of Defence
પાકિસ્તાની સેનાના મેજર જનરલ બાબરે આ ઘટના બાદ કહ્યું હતું કે 9 માર્ચ સાંજે 6:43 વાગ્યે ભારતે પાકિસ્તાન તરફ એક મિસાઇલ છોડી હતી. આ ત્રણ મિનિટમાં મિસાઇલ ભારતથી પાક. સુધી પહોંચી ગઈ હતી. આ મિસાઇલથી કેટલાક ઘરોને નુકસાન થયું છે. પાકિસ્તાને કહ્યું હતું કે તેઓની એર ડિફેન્સ સિસ્ટમે તેને ડિટેક્ટ પણ કરી લીધી હતી.
આજે રક્ષામંત્રી રાજનાથસિંહ કરશે ખુલાસો
આજે રક્ષામંત્રી રાજનાથસિંહ સંસદમાં આ મુદ્દે જવાબ આપશે એવી માહિતી મળી હતી. સરકારે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ જાહેર કર્યા છે.
અમેરિકાનું ભારતને સમર્થન
આ મુદ્દે અમેરિકાનું ભારતને સમર્થન મળ્યું છે. અમેરિકન વિદેશ વિભાગનાં નેડ પ્રાઇસે કહ્યું હતું કે અમેરિકા પાસે આ પ્રકારના કોઈ પુરાવા નથી જે સાબિત કરી શકે કે આ જાણીજોઈને ભારત દ્વારા કરવામાં આવ્યું છે. આ માત્ર એક દુર્ઘટના હતી.
શું બની હતી ઘટના ?
ભારત પર આરોપ લગાવવામાં સદાય અગ્રેસર રહેનાર પાકિસ્તાને મોટો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે, ભારત તરફથી એક અજ્ઞાત મિસાઇલ છોડવામાં આવી કે જે પંજાબમાં જઇને પડી અને તેનાથી કેટલાંક નાગરિક વિસ્તારમાં થોડુંક નુકસાન થયું છે.
સંરક્ષણ મંત્રાલયે શું કહ્યું જુઓ
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારત સરકારે આને ગંભીરતાથી લીધું છે અને આ અંગે ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું હતું કે એવું જાણવા મળ્યું છે કે ટેક્નિકલ ખામી (India Missile Landing in Pakistan) ના કારણે છોડવામાં આવેલી મિસાઈલ પાકિસ્તાનની સીમામાં પડી હતી. આ ઘટના ખૂબ જ ખેદજનક છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે રાહતની વાત છે કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી.
નાગરિક વિસ્તારોમાં થયું નુકસાન
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે મીડિયાને જણાવ્યું કે, નવ માર્ચના રોજ સાંજે 6 વાગીને 43 મીનિટ પર એક તેજ ગતિથી ઉડનારી વસ્તુએ ભારતીય ક્ષેત્રમાંથી ઉડાણ ભરી હતી અને તે અચાનક જ રસ્તો ભટકી જતા પાકિસ્તાનના ક્ષેત્રમાં પ્રવેશ કરી ગઇ અને નીચે પડે. જો કે, તેનાથી રહેણાંક વિસ્તારમાં થોડુંક નુકસાન પણ થયું છે પરંતુ તેમાં કોઇનોય જીવ નથી ગયો.