પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાને પોતાનું એરસ્પેસ ખોલવા માટે ના પાડી દીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાન પીએમ મોદીને પોતાના હવાઇ માર્ગના ઉપયોગની પરવાનગી આપશે નહીં. જો કે આંતરરાષ્ટ્રીય નિયમ અનુસાર પાકિસ્તાન PM મોદીનો રસ્તો રોકી શકશે નહીં અને જો રોકશે તો એ માટેની કિંંમત ચુકવવી પડશે.
PM મોદીનો રસ્તો ના રોકી શકે પાકિસ્તાન, ચુકવવી પડશે કિંમત
બે સપ્તાહની અંદર બીજી વખત પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કર્યું છે
આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે પાકિસ્તાનને PM નરેન્દ્ર મોદીને પોતાની એરસ્પેસનો ઉપયોગ માટે અનુમતિ આપવી જ પડશે
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે,
'આ નિર્ણય કાશ્મીરની પરિસ્થિતિને જોઇને લેવામાં આવ્યો છે. પાક વિદેશ મંત્રીએ જણાવ્યું, ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે 20 સપ્ટેમ્બરે જર્મની જવા અને 28 સપ્ટેમ્બરે રિટર્ન ફ્લાઇટ માટે એરસ્પેસ ખોલવાની અપીલ કરવામાં આવી હતી.'
પાકિસ્તાનના આ પગલાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટીકા કરી. એમને કહ્યું કે બે સપ્તાહની અંદર બીજી વખત પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કર્યું છે. કોઇ પણ સામાન્ય દેશ દ્વારા નિયમિત રૂપથી આ પ્રદાન કરવામાં આવે છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ફ્લાઇટ માટે પોતાનું એરસ્પેસ ખોલવા માટે ના પાડી દીધી હતી.
રિપોર્ટ્સ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે અમેરિકા પહોંચવા માટે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરવાના હતા. પીએમ મોદી હ્યૂસ્ટનમાં ભારત-અમેરિકાના સમુદાયને સંબોધિત પણ કરશે. ત્યારબાદ પીએમ મોદી 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે.
કાશ્મીર પર તમામ કૂતનીતિઓ અસફળ થયા બાદ પાકિસ્તાને એરસ્પેસ બંધ કરવાનો પેંતરો અપનાવી રહ્યું છે. જો કે આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે પાકિસ્તાનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાની એરસ્પેસનો ઉપયોગ માટે અનુમતિ આપવી જ પડશે. જો પાકિસ્તાન ભારતના અનુરોધને ફગાવે છે તો ભારત આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનમાં અપીલ દાખલ કરી શકે છે. ત્યારબાદ પાકિસ્તાનને ભારે દંડ પણ ભરવો પડી શકે છે.
આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે,
કોઇ પણ દેશના ક્ષેત્રથી 12 નૉટિકલ મીલ અથવા 22.2 કિમીના અંતર સુધી એનું એરસ્પેસ માનવામાં આવે છે અને એ દેશનો પોતાના એરસ્પેસ પર પૂરું નિયંત્રણ હોય છે. દેશોનો એક ફ્લાઇંગ કૉરિડોર હોય છે જેમાં એ વિદેશી કૉમર્શિયલ ફ્લાઇટ્સના પ્રવેશ પર વિચાર કરી શકે છે, પાકિસ્તાન સહિત ઘણા દેશો એના દ્વારા આવક કરે છે.
આંતરરાષ્ટ્રીય એરસ્પેસના નિયંત્રણ અને ઉપયોગને લઇને ઘણા આંતરરાષ્ટ્રીય સમજૂતી જ અસ્તિત્વમાં છે. ઉદાહરણ તરીકે સમુદ્રની ઉપર એરસ્પેસને લઇને પણ આંતરરાષ્ટ્રીય નિયમ છે. સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશનની દેખરેખમાં તમામ સમજૂતી અને નિયમો પર અમલ સુનિશ્વિત હોય છે.
પાકિસ્તાનના વારંવાર અનુચિત તરીકેથી પોતાની એરસ્પેસને બંધ કરવાને લઇને ભારત સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ICAO માં જઇ શકે છે. પાકિસ્તાન એરસ્પેસ બંધ કરીને ICAOની સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
પાકિસ્તાનનો હવાઇ માર્ગ યૂરોપ અને અમેરિકાની ફ્લાઇટ્સ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જ્યારે પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું તો યૂરોપ અને અમેરિકા જતી મોટાભાગની ફ્લાઇટનું ભાડું વધી ગયું હતું. બીજી તરફ, ભારતનું એરસ્પેસ બંધ કરવાથી પાકિસ્તાનને પણ નુકસાન થયું. દક્ષિણ-પૂર્વ દેશોને જતી તમામ પાકિસ્તાની ફ્લાઇટ્સને પોતાનો રૂટ બદલવો પડતો હતો અથવા વધારે ખર્ચના કારણે પોતાની ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. પાકિસ્તાનને બે બાજુ નુકસાન થઇ રહ્યું હતું. એક બાજુ એને પોતાના એરસ્પેસથી પસાર થતી કોમર્શિયલ ફ્લાઇટ્સથી મળતી આવક બંધ થઇ ગઇ અને બીજું એની એરલાયન્સને દક્ષિણ-પૂર્વ દેશોની ફ્લાઇટ્સ પરર નુકસાન ઊઠાવવું પડ્યું.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય વાયુસેનાની સ્ટ્રાઇક બાદ પણ પાકિસ્તાને ભારતીય એરલાયન્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. બાદમાં પાકિસ્તાનને કરોડોનું નુકસાન થતાં પોતાનો નિર્ણય પાછો લેવો પડ્યો હતો.