વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાન પોતાનું એરસ્પેસ ખોલવા તૈયાર થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાનારી સંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેવા 13 જૂને જઇ રહ્યાં છે. સૂત્રોને મળતાં અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો એર સ્પેસનો ઉપયોગ કરવા માટે પાકિસ્તાન સૈદ્ધાંતિક રીતે રાજી થઇ ગયું છે.
ઉલ્લેખનીય છે કે 26 ફેબ્રુઆરીના બાલાકોટ પર એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પોતાનો એર સ્પેસ સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે. આ ઘટનાને 3 મહીના પસાર થઇ ગયાં છે, પરંતુ પાકિસ્તૈને હજુ સુધી માત્ર પોતાના બે એરસ્પેસ ખોલી દીધા છે. આ બંને એર સ્પેસ દક્ષિણ પાકિસ્તાન પરથી પસાર થાય છે.
પાકિસ્તાને પોતાનો એર સ્પેસ 11 ભાગમાં કરેલો છે. ભારતે પાકિસ્તાનને આગ્રહ કર્યો હતો કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિશ્કેક પ્રવાસને લઇને પોતાના એર સ્પેસના ઉપયોગની મંજૂરી આપે. સૂત્રોના અહેવાલ મુજબ આ અંગેની પુષ્ટી કરી છે કે પાકિસ્તાન સૈદ્ધાંતિક રીતે અંગે તૈયાર થઇ ગયું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાકિસ્તાને તત્કાલીન વિદેશ મંત્રી સુષમા સ્વરાજ માટે પણ એર સ્પેસ ખોલી દીધું હતું. પાકિસ્તાનના અધિકારીએ જણાવ્યું છે કે થોડી ઔપચારિકતા પુરી કર્યાં બાદ ભારત સરકારને આ અંગેની જાણકારી આપી દેવામાં આવશે.
પાકિસ્તાને સોમવારે સૈદ્ધાંતિક રીતે નિર્ણય કર્યો કે તેઓ SCO બેઠકમાં સામેલ થવા માટે કિર્ગિસ્તાનના શહેર બિશ્કેક જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાન માટે પોતાના એર સ્પેસ પરથી પસાર થવા દેશે. 13 અને 14 જૂનની એસસીઓ બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ ભાગ લેશે.