પૂર્વ ક્રિકેટરએ પાકિસ્તાનની નવી જર્સીની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે તેને પહેરવાથી ક્રિકેટરો ક્રિકેટ મેદાનને બદલે ફ્રૂટની દુકાનમાં ઊભા હોય એવા લાગે છે.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે પણ જર્સીની મજાક ઉડાવી
પાકિસ્તાની ક્રિકેટરો ક્રિકેટ મેદાનને બદલે ફ્રૂટની દુકાનમાં ઊભા હોય એવા લાગે
'પાકિસ્તાની ખેલાડીઓ તરબૂચ જેવા દેખાય છે'
ટી-20 વર્લ્ડ કપના શરૂઆતને હવે માત્ર એક મહિનાનો સમય બાકી રહ્યો છે. એવામાં T20 વર્લ્ડ કપ 2022 પહેલા ભારત-પાકિસ્તાનની ટીમ સહિત ઘણી ટીમોએ તેમની નવી જર્સી લોન્ચ કરી છે. તમને જણાવી દઈએ કે રવિવારે ભારતે પોતાની નવી જર્સી પણ લોન્ચ કરી હતી. ટીમ ઈન્ડિયાની નવી જર્સીને કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને અન્ય સ્ટાર ખેલાડીઓની હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન 23 ઓક્ટોબરથી એકબીજા સામે ટી-20 વર્લ્ડ કપમાં પોતાના મિશનની શરૂઆત કરશે.
Style ✅
Passion ✅
Charisma ✅
Taking you behind the scenes of the Pakistan Thunder Jersey'22 unveiling ⚡
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે પણ જર્સીની મજાક ઉડાવી
જો કે ભારત પછી પાકિસ્તાને પણ તેની નવી જર્સી લોન્ચ કરી હતી. આ પછીથી ચાહકોએ પાકિસ્તાનની નવી જર્સીના લોકો મજાક ઉડાવી રહ્યા છે. એવામાં લોકો પોતાની પ્રતિક્રિયા આપતા હતા પણ હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ ટી-20 વર્લ્ડ કપ 2022 માટે પાકિસ્તાનની જર્સીની મજાક ઉડાવી છે. હાલમાં જ પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપ માટે નવી જર્સી લોન્ચ કરી હતી અને એ પછી ટ્રોલર્સની સાથે સાથે પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પાકિસ્તાનની નવી જર્સીની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે તેને પહેરવાથી ક્રિકેટરો ક્રિકેટ મેદાનને બદલે ફ્રૂટની દુકાનમાં ઊભા હોય એવા લાગે છે.
'પાકિસ્તાની ખેલાડીઓ તરબૂચ જેવા દેખાય છે'
પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ ટી20 વર્લ્ડ કપ 2022 માટે પાકિસ્તાનની નવી જર્સીની મજાક ઉડાવતા કહ્યું હતું કે પાકિસ્તાની ખેલાડીઓ આ જર્સીમાં તરબૂચ જેવા દેખાઈ રહ્યા છે આસતહે જ એમને એમ પણ કહ્યું હતું કે આ જર્સીને જોઈને એવું લાગે છે કે જાણે એ લોકો ફ્રૂટ નિન્જાથી પ્રેરિત હોય એવા લાગી રહ્યા છે. પૂર્વ પાકિસ્તાની સ્પિનરે આગળ એમ પણ કહ્યું હતું કે આ જર્સી બિલકુલ બેકાર છે. એમના મતે મુજબ પાકિસ્તાન ટીમની નવી જર્સીનો રંગ આવોહોવા કરતાં પ્રોપર ડોર્ક હોવો જોઈએ.
𝐓𝐡𝐞 𝐛𝐢𝐠 𝐫𝐞𝐯𝐞𝐚𝐥!
Presenting the official Pakistan T20I Thunder Jersey'22 ⚡
ભારતીય જર્સી પણ ન આવી પસંદ
આ સાથે જ પૂર્વ પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરિયાને ભારતીય ટીમની નવી જર્સી પણ વધુ પસંદ નહતી આવી. એમના મત મુજબ ભારતીય ટીમની જર્સી ઘેરા વાદળી રંગની હોવી જોઈએ. કારણ કે એ રંગ શક્તિનું પ્રતીક છે. જો કે જણાવી દઈએ દાનિશ કનેરિયા પાકિસ્તાન તરફથી ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં રમી ચૂક્યો છે. જો દિનેશ કનેરિયાના કરિયરની વાત કરીએ તો તેણે પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચ રમી છે. જ્યારે 18 વનડેમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે.