પુલાવામા આતંકી હુમલાના ગુનેગારોને પાઠ શીખવવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને એર સ્ટ્રાઇક કરી પણ પડોશી દેશ દુનિયાને ગુમરાહ કરવા માગે છે. પાકિસ્તાનના સુરક્ષા અધિકારી મીડિયાને તે પહાડ પર જતા રોકી રહ્યા છે કે જ્યાં ભારતીય એરફોર્સે હુમલો કર્યો હતો. સમાચાર એજન્સી રોયટર્સની એક ટીમને પણ ગુરુવારે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો, પાક અધિકારીઓને મીડિયા ટીમને ઉત્તર-પૂર્વ પાકિસ્તાન સ્થિત બાલાકોટના તે પહાડ પર બનેસા મદરેસા અને આસપાસના મકાનોની નજીક જતા રોકવામાં આવ્યા હતા. ગત અઠવાડિયે ભારતીય એરફોર્સના ફાઇટર વિમાનોએ આ વિસ્તાર પર નિશાન સાધ્યુ હતુ.
તમને જણાવી દઇએ કે, પોતાના હિસાબ અનુસાર ફોટો દેખાડીને પાકિસ્તાન અત્યારસુધી દુનિયાને બતાવી રહ્યુ છે કે ભારતને કોઇ એરસ્ટ્રાઇક કરી નથી. ગત 9 દિવસો દરમિયાન ત્રીજી વખત છે કે જ્યારે રોયટર્સના રિપોર્ટર આ વિસ્તારમાં પહોંચ્યા છે. વાત જાણે એમ છે કે અહીં સ્થિત જે મકાનને મદરેસા જણાવવામાં આવી રહ્યુ છે. તે આતંકી સગંઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. ભારતીય એરફોર્સે આ આંતકી ટ્રેનિંગ કેમ્પ પર બોમ્બ વરસાવ્યા હતા પણ પાક અધિકારી હવે પત્રકારોને ત્યાં જવાની ના પાડી રહ્યા છે.
સ્ટ્રાઇક દરમિયાન ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે જણાવ્યુ કે, આ ટ્રેનિંગ કેમ્પ પર કરવામાં આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં જૈશ-એ-મોહમ્મગના આંતકી, ટ્રેનર્સ અને સીનિયર કમાન્ડર માર્યા ગયા.
પાકિસ્તાની સુરક્ષા અધિકારી તે પછી આ જ રસ્તા પર સુરક્ષા વધારી દીધી છે જે તે તરફ જઇ રહ્યો છે. અધિકારી સુરક્ષા ચિંતાનો હવાલો આપતા પત્રકારોને ત્યાં જતા રોક્યા છે. તમને જણાવા દઇએ કે, એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાની સેનાની તરફથી કહેવામાં આવ્યુ છે કે, તેઓ મીડિયાને તે સ્થાન પર લઇ જશે જ્યાં એર સ્ટ્રાઇકની વાત કરવામાં આવી રહી છે. એવામાં સમજી શકાય કે બોલવા માટે પાકિસ્તાન ભલે આમ બોલે પરંતુ સત્ય બહાર આવાનો ડર છે.
26 ફેબ્રુઆરીના ભારતના એક્શન પછી પાકિસ્તાન સરકાર કહી રહી છે કે કોઇ પણ ઇમારતને નુકસાન નથી થયુ અને ન તો કોઇએ જીવ ગુમા્યો છે. ઇસ્લામાબાદમાં સેનાની પ્રેસ વિંગ પણ વાતાવરણ અને સંગઠનના કારણે હવાલો આપતા સાઇટ પર જવાનો પ્લાન રદ્દ કરી દીધો છે. એક અધિકારીએ જણાવ્યુ કે, સુરક્ષાના કારણોસર આગામી કેટલાક દિવસો સુધી અહીં જવાનું સંભવ નથી.