કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે પાકિસ્તાન સામે આપણી સેના જોરદાર કાર્યવાહી કરી રહી છે. પટણામાં વીર કુંવરસિંહની 160મી જયંતિ પર તેમને આ નિવેદન આપ્યું હતું. તેમને કકહ્યું કે "સરકારે સેનાને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે છૂટ આપી છે. પાકિસ્તાન પર આરોપ લગાવતા રાજનાથ સિંહે કહ્યું કે પાક. દ્વારા સતત સિઝફાયરનું ઉલ્લંધન કરે છે.
આ સિવાય આતંકવાદી પ્રવૃતિઓ પણ કરે છે. આ તમામ મોરચે ભારતની સેના પાકિસ્તાન જોરદાર જવાબ આપી રહી છે અને આમને આમ ચાલુ રહેશે તો પાકિસ્તાન જલ્દી રોડ પર આવી જશે.
આ સિવાય તેમને કહ્યું કે સેનાને પણ આદેશ આપ્યો છે કે પાકિસ્તાન તરફથી ફાયરિંગ થાય તો જ ભાર ત જવાબ આપશે. પરંતુ આપણે સામેથી ફાયરિંગ કરીશું નહીં. આમ રાજનાથસિંહે આતંકવાદ અને નકસલવાદ મોરચે સેના લડી લેવા સક્ષમ હોવાની પણ વાત કરી હતી.