પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટીની (CAA) તરફથી નોટિસ ટૂ એરમેન જારી કરીને કરાચી એરસ્પેસના ત્રણ રૂટ્સ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એરસ્પેસ 28 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.
પાકિસ્તાને કરાચી એરસ્પેસને 31 ઓગસ્ટ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટીની (CAA) તરફથી નોટિસ ટૂ એરમેન જારી કરીને કરાચી એરસ્પેસના ત્રણ રૂટ્સ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એરસ્પેસ 28 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. તમામા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ત્રણેય રસ્તાથી બચવા માટે કહેવામાં આવ્યું છે.
CAA તરફથી જો કે એવું જણાવવામાં આવ્યું નથી કે આ રૂટ્સને કેમ બંધ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ઓથોરિટીઝ તરફથી કોઇ પણ પ્રકારનો કોઇ વૈકલ્પિક રસ્તાનું સૂચન કરવામાં આવ્યું નથી.
નોટૈમ એવા સમયે જારી કરવામાં આવ્યું છે જ્યારે દેશના ટેકનીકલ મંત્રી ફવાદ હુસૈન ચોધરીએ કહ્યું હતું કે પાકિસ્તાન, ભારત માટે પોતાનું એરસ્પેસ પૂરી રીતે બંધ કરવા પર વિચાર કરી રહ્યું છે. ચૌધરી પ્રમાણે પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સરકાર અફઘાનિસ્તાનની સાથે થતા વેપાર માટે પોતાની જમીનનો પ્રયોગ પણ ભારત માટે પ્રતિબંધિત કરવા માટે વિચારી રહી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને 26 ફેબ્રુઆરીએ થયેલા બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. ત્યારબાદ 27 માર્ચે પાકિસ્તાને પોતાનું એરસ્પેસ ખોલ્યું પરંતુ નવી દિલ્હી, બેંગકોક અને મલેશિયા જતી ફ્લાઇટ્સના રસ્તા બંધ હતા. 15 મે પાકિસ્તાનએ ભારતીય ફ્લાઇટ્સ માટે એરસ્પેસને 30 મે સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ 16 જુલાઇએ એને એરસ્પેસ ખોલ્યું હતું.
પાંચ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટ્યા બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયેલું છે. પાકિસ્તાને ભારત સાથે વેપાર બંધ કર્યો અને તમામ રાજકીય સંબંધ ખતમ કરી નાંખ્યા. આ ઉપરાંત ટ્રેન અને બસ સર્વિસ પણ રોકી દેવામાં આવી છે. ભારતે જમ્મુ કાશ્મીરથી વિશેષ દરજ્જો પરત લીધો સાથે સાથે એને બે સંઘ શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદાખમાં વહેંચી નાંખ્યો.