સોમવારે એક કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ચીન એક મિશન હેઠળ ચીન પર વિવાદ પેદા કરી રહ્યા છે.
રાજનાથસિંહે LAC પર ટેન્શન વચ્ચે મોટું નિવેદન આપ્યું
પાકિસ્તાન બાદ ચીન બોર્ડર પર એક મિશન અંતર્ગત પેદા કરે છે વિવાદ
રક્ષામંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું વિકાસકાર્યોનો શિલાન્યાસ
રાજનાથસિંહનું નિવેદન
રક્ષામંત્રી રાજનાથસિંહે LAC પર ટેન્શનની વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. રાજનાથસિંહે કહ્યું કે, પાકિસ્તાન બાદ હવે ચીન પણ સરહદ પર એક મિશન અંતર્ગત વિવાદ પેદા કરી રહ્યું છે, પરંતુ દેશ આ સંકટનો દ્રઢતાથી સામનો કરવા સક્ષમ છે. નોંધનીય છે કે સોમવારે રક્ષામંત્રી રાજનાથસિેહ બૉર્ડર રૉડ ઑર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવેલા 44 પુલ અને અરુણાચલ પ્રદેશના નેચિફુ ટનલનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કર્યો છે.
પાકિસ્તાન,ચીન કરે છે વિવાદ
આ પ્રસંગે તેમણે દુશ્મન દેશ અંગે પોતાનો મત વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે 'આપણી ઉત્તર અને પૂર્વ બોર્ડર પર પેદા કરવામાં આવેલી સ્થિતિઓથી પણ તમે સારી રીતે વાકેફ છો. પહેલા પાકિસ્તાન હવે ચીન તરફથી એક મિશન અંતર્ગત સરહદ પર તણાવ ઉભો કરાઈ રહ્યો છે. આ દેશો સાથે આપણી લગભગ 7 હજાર કિલોમીટરની સરહદ મળે છે, જ્યાં અવાર-નવાર તણાવ બનેલો રહે છે.
ભારત તમામ પડકારોનો કરશે સામનો
રાજનાથ સિંહે કહ્યું કે, 'દેશ દરેક વિસ્તારમાં કોવિડ 19ના કારણે પેદા થયેલી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ત્યારે દુશ્મન દેશો પણ ભારતની મુશ્કેલીઓ વધારવાનો સતત પ્રયાસ કરી રહી છે પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આ તમામ પડકારોને ઝીલવા સક્ષમ છે અને આ તમામ મુશ્કેલીનો બહાદુરીપૂર્ણ સામનો કરવા સેના સક્ષમ છે.'
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ એ સરહદી વિસ્તારોમાં બનાવાયેલા 44 પુલનું એકીસાથે એક ઓનલાઈન સમારોહમાં લોકાર્પણ કરી નાખ્યું હતું. તેમણે ચીનનું નામ લીધા વિના કહ્યું હતું કે પીએમ મોદી ના શાસન કાળમાં ભારત ન માત્ર દરેક સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે પરંતુ સરહદી વિસ્તારોમાં ઐતિહાસિક પરિવર્તનો પણ કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ આ પુલ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાનો પર આવેલા છે અને તેમાંથી 7 લદાખમાં છે જ્યાં હાલમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.