લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર સતત યુદ્ધ વિરામ તોડ્યા બાદ પાકિસ્તાનને ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાન સામે કરેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના બે જવાનોને ઠાર કર્યા હતા. ગુરુવારે સવારથી જ પાકિસ્તાન પૂંછ જિલ્લાના શાહપુર અને કિરની સેક્ટરમાં સતત ફાયરિંગ ચાલી રહ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં ભારતની કાર્યવાહી
પાકિસ્તાનને યુદ્ધ વિરામ ભંગ કરતા સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
2 પાકિસ્તાની જવાન ઠાર
સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના રાખ ચિકરી વિસ્તારમાં આવેલી પોસ્ટને નિશાન બનાવી હતી. જવાબી કાર્યવાહીમાં 10 બલોચ રેજિમેન્ટના બે સૈનિકો માર્યા ગયા અને કેટલાક ઘાયલ પણ થયા. આ સમય દરમિયાન પાકિસ્તાનના ઘણા બંકર પણ નાશ પામ્યા હતા.
સવારથી જ પાકિસ્તાન ફાયરિંગ કરી રહ્યું છે
આ પહેલા સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે ગુરુવારે સવારે 9:30 વાગ્યાથી પાકિસ્તાન પૂંછ જિલ્લાના શાહપુર, કસબા અને કિરાની સેક્ટરમાં ફાયરિંગ કરી રહ્યું છે. ભારતીય સૈનિકો પણ યોગ્ય જવાબ આપી રહ્યા છે. ગુરુવારે સાંજે, સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય ત્યાં ભારતના ઉચ્ચ આયોગમાં વિરોધ નોંધાવવા માટે કામ કરી રહ્યા છે.