દ્વારકાઃ આંતરરાષ્ટ્રીય સમુદ્રી જળસીમામાંથી પાકિસ્તાન દ્વારા અવારનવાર ભારતીય બોટો અને માછીમારોના અપહરણ કરવામાં આવે છે. જે સિલસિલો યથાવત જ છે. ત્યારે ફરી દેવભૂમી દ્વારકામાં પાકિસ્તાનની ફરી નાપાક હરકત સામે આવી છે.
ભારતીય જળસીમામાંથી 2 બોટોના અપહરણની આશંકા સેવાઇ રહી છે. 15થી વધુ ખલાસીઓના પણ અપહરણ કર્યુ હોવીની આશંકા સેવાઇ રહી છે. અપહરણ કરાયેલી બોટો ઓખા-બેટની હોવાનું અનુમાન કરવામાં આવ્યુ છે.
અરબી સમુદ્રમાં આવેલી INBL આંતરરાષ્ટ્રીય જળ સીમામાં સરહદનું કોઇ ચોક્કસ પ્રમાણ ન હોય જેનો લાભ ઉઠાવીને પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટોના અપહરણ કરવામાં આવતા હોય છે. ત્યારે પાકિસ્તાનની નાપાક હરકતો હજુ ચાલુ જ છે.
જો કે હજુ સુધી આ બોટો કે માછીમારો અંગે પાકિસ્તાન તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ તમામ બોટો સંપર્કવિહોણી બની છે અને પાકિસ્તાન દ્વારા તેનું અપહરણ કરાયાની આશંકા પ્રબળ બની છે.