પાકિસ્તાને એશિયા કપની પહેલી મેચમાં રવિવારે હોંગકોંગને સરળતાથી 8 વિકેટથી હરાવી દીધું. હવે પાકિસ્તાનની આગામી મેચ 6 વખત ચેમ્પિયન રહી ચૂકેલી ટીમ ઇન્ડિયાની સાથે છે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે આ મેચ પછી કહ્યુ કે ''હજુ પણ ટીમને કેટલાક સુધારાની જરૂર છે.''
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા માટે આવેલી હોંગકોંગની ટીમ માત્ર 116 રન કરી શકી જેના જવાબમાં પાકિસ્તાને 23.4 ઑવરમાં 117 રન કરીને જીત મેળવી લીધી. પાકિસ્તાનના પેસર ઉસ્માન ખાને 1 ઑવરમાં 3 વિકેટ લીધી જ્યારે ઑપનર ઇમામ-ઉલ-હક હાફ સેન્ચુરી કરી.
પાકિસ્તાનના કેપ્ટને હોંગકોંગ પર જીત મેળવ્યા પછી કહ્યુ કે ''એક કેપ્ટન તરીકે જોઇએ તો કેટલીક જગ્યાએ હજુ સુધારાની જરૂર છે. મને લાગે છે આ મેચ 9-10 વિકેટથી જીત શક્યા હોત પરંતુ અમારે 2 વિકેટ ગુમાવવી પડી.''
31 વર્ષના સરફરાઝે કહ્ય કે ''નવા બૉલથી અમે સારું ફૉર્મ કરી શકીએ છીએ. મને લાગે છે કે આ ક્ષેત્રમાં સુધારો કરવો જરૂરી છે. નવા બૉલ અમારા માટે સ્વિંગ નથી કરી રહી જે અમાર માટે સારું નથી. આ માટે અમારે આગામી પ્રેક્ટિસ સેશન દરમિયાન ધ્યાન આપવું પડશે.'' ઉલ્લેખનીય છે કે સરફરાઝની કેપ્ટન્સીમાં પાકિસ્તાને ગત વર્ષે ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હરાવીને ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી.
ટીમ ઇન્ડિયાની વિરુદ્ઘ થનારી મેચમાં માટે પાકિસ્તાનના કેપ્ટને કહ્યુ કે ''અમારી મેચ હવે ટીમ ઇન્ડિયાની સાથે છે. જો અમારે આ મેચ જીતવી હોય તો બૉલિંગ બેટિંગની સાથે સાથે ફીલ્ડિંગમાં પણ બેસ્ટ આપવું પડશે.'' ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે 19 સપ્ટેમ્બરના મેચ રમાશે. એશિયા કપમા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવતા કેપ્ટન્સી રોહિત શર્મા કરી રહ્યો છે.