ઇંગ્લેન્ડ વિરુદ્ઘ ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયાના ખરાબ ફોર્મનું કારણ તેમની ઓછી તૈયારીઓ માનવામાં આવી રહી છે. હવ આ વિવાદમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહમદે પોતાની વાત મૂકી છે. પાકિસ્તાની કેપ્ટને બુધવારે કહ્યુ કે ''ટીમ ઇન્ડિયાની સરખામણીએ પાકિસ્તાને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે વધારે સારી તૈયારી કરી હતી.''
વિરાટ કોહલીની ટીમ પાંચ મેચની સીરિઝમાં 0-2થી પાછળ છે. ટીમ ઇન્ડિયા પહેલી ટેસ્ટમાં 31 રનથી જ્યારે લોર્ડ્સમાં ઇનિંગ અને 159 રનથી હારી. ક્રિકેટમાં જાણકારો અનુસાર આ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ ઓછી છે. ટીમ ઇન્ડિયાએ વનડે સીરિઝ પછી 5 દિવસોનો બ્રેક લીધો. ટેસ્ટ સીરિઝ શરૂ થયા પહેલા ટીમ ઇન્ડિયાના અસેક્સની વિરુદ્ઘ માત્ર 3 દિવસીય પ્રેક્ટિસ મેચ રમી જે પછી સુનીલ ગાવસ્કર અને હરભજન સિંહ જેવા દિગ્ગજોએ ટીમની તૈયારીઓને લઇને ટીકા કરી.
આ મુદ્દા પર સરફરાઝે પોતાનો અનુભવ કહેતા કહ્યુ કે ''મેં ઇંગ્લેન્ડમાં 2 વખત પ્રવાસ કર્યો છે અને બંને વખત પાકિસ્તાની ટીમે સારું ફોર્મ કર્યું હતુ. મારા હિસાબથી એશિયાઇ ટીમ ઇંગ્લેન્ડમાં રમી રહી છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારતમાં કોઇ અલગ નથી ઇંગ્લેન્ડમાં પરિસ્થિતિઓ મુશ્કેલ છે.''
સરફરાઝએ 2016માં પાકિસ્તાની ટીમની સાથે ઇંગ્લેન્ડમાં પ્રવાસ કર્યો હતો. ત્યારે ચાર મેચની સીરિઝમાં 2-2થી બરાબર રહી હતી. પાકિસ્તાની ટીમ સીરિઝ શરૂ થયા પહેલા કાઉન્ટી ટીમની વિરુદ્ઘ 2 પ્રેક્ટિસ મેચ રમ્યા હતા. સરફરાઝે કહ્યુ કે ''મને લાગે છે કે પાકિસ્તાનના પ્રવાસ માટે સારી તૈયારીઓ કરી હતી. જો મેં મારી પહેલા પ્રવાસની વાત કરું તો અમે સીરિઝ પહેલા 25 દિવસ પહેલા ઇંગ્લેન્ડ પહોંચી ગયા હતા. અમે 10 દિવસનો કેમ્પ લગાવ્યો અને પછી 2 પ્રેક્ટિસ મેચ રમ્યા. જેનાથી મદદ મળશે.''
ઇંગ્લેન્ડમાં પોતાના બીજા પ્રવાસ દરમિયાન સરફરાઝ પાકિસ્તાની ટીમનો કેપ્ટન હતો. જ્યારં પાકિસ્તાનના સીરિઝ 1-1થી બરાબર રહી. તેમણે કહ્યુ કે ''જો હું મારા છેલ્લા પ્રવાસની વાત કરું તો પાકિસ્તાને ઇંગ્લેન્ડના ટેસ્ટ મેચ રમ્યા પહેલા 3 પ્રેક્ટિસ મેચ રમી.''
સરફરાઝે આગળ કહ્યુ કે એક કેપ્ટન અને એક પ્લેયર તરીકે મને લાગે છે કે અમારી તૈયારીઓ સારી હતી અને અમને સારા પરિણામ મળ્યા. ટીમ ઇન્ડિયા 18 ઓગ્સ્ટથી સીરિઝના ત્રીજી મેચ રમશે. સીરિઝમાં રહેવા માટે ટીમ ઇન્ડિયાને આ મેચ જીતવી જરૂરી છે.