ઓસ્ટ્રેલિયાની મેજબાનીમાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમે પાકિસ્તાનને 4 વિકેટથી કારમી હાર આપી છે. રવિવારે મેલબર્નમાં મળેલી હાર બાદ પાકિસ્તાન કેપ્ટન બાબર આજમે ડ્રેસિંગ રૂમમાં એક મોટીવેશનલ સ્પીચ આપી. આ દરમ્યાન બાબરે મોહમ્મદ નવાજ સાથે એક ખાસ વાત કહી.
ભારત સામે હાર્યા બાદ બાબર આજમે ડ્રેસિંગ રૂમમાં આપી સ્પીચ
બાબર આજમે કહ્યું, હવે આગળની મેચ પર ધ્યાન આપવાનુ છે
બાબરે કહ્યું, ખિતાબ પણ જીતવા માટે તાકાત જરૂરી
બાબરે કહ્યું, આ છેલ્લી મેચ નથી, હજી આગળ ઘણી મેચ છે
ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ સામે હાર ભોગવ્યાં બાદ પાકિસ્તાન ટીમ ખૂબ નિરાશ જોવા મળી છે. પરંતુ ટીમના કેપ્ટન બાબર આજમે ડ્રેસિંગ રૂમમાં બધા ખેલાડીઓનો ઉધડો લીધો અને એક મોટીવેશનલ સ્પીચ પણ આપી. પોતાની સ્પીચમાં બાબર આજમે ખાસ કરીને સ્પિનર મોહમ્મદ નવાજ સાથે વાત કરી અને તેમને ભરોસો અપાવ્યો કે માથુ ઝુકાવવાનુ નથી. આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ. હવે આગળની મેચ પર ધ્યાન આપવાનુ છે. બાબરે પોતાના ખેલાડીઓના આત્મવિશ્વાસને વધારવાનુ કામ કર્યુ અને કહ્યું કે આગળ ઘણી મેચ છે. અહીં સફર સમાપ્ત થયો નથી. બાબરે કહ્યું હતુ કે ખિતાબ પણ જીતવા માટે તાકાત જરૂરી છે.
અમે બધા હાર્યા છીએ, કોઈની પર આંગળી ઉઠાવવાની જરૂર નથી
બાબરે કહ્યું, ઘણી સારી મેચ થઇ. આપણે કરી દીધુ. આપણા હાથમાં એફર્ટ છે. અમુક ભૂલ થઇ. તેના પરથી શિખવાનુ છે. પડવાનુ નથી. ટુર્નામેન્ટ સ્ટાર્ટ થઇ છે. હજી મોટા મેચ પડ્યા છે. હું ફરી વખત કહીશ કે કોઈ એક ખેલાડીના કારણે આપણે હાર્યા નથી. આપણે બધા હાર્યા છીએ. કોઈની પર આંગળી ઉઠાવવાની જરૂર નથી. આ ટીમમાં નહીં થાય. ટીમના કારણે હાર્યા છીએ. ટીમ સાથે અમે જીતીશુ. એકસાથે રહેવાનુ છે. સારું પર્ફોમન્સ પણ કર્યુ છે, તે પણ જુઓ. થોડી-થોડી ભૂલો થઇ રહી છે, તેમાં ટીમ તરીકે ફેરફાર કરવાનો છે.
પાકિસ્તાની કેપ્ટન બાબર આજમે મોહમ્મદ નવાજને કહ્યું, સ્પેશિયલી નવાજ… કોઈ મુદ્દો નથી. તુ મારો મેચ વિનર છે. મને તારી પર હંમેશા ભરોસો રહેશે જે મરજી હોય તે. તુ મને મેચ જીતાડજે, માથુ ઝુકાવવાનુ નથી. ઘણો સારો એફર્ટ હતો. પ્રેશરવાળી મેચ હતી. પરંતુ તુ મેચને આટલી નજીક લઇને આવ્યો. આ વધુ શાનદાર રહ્યું. બધી વસ્તુઓ અહીં છોડીને જવી. આગળ જઇને નવી રીતે શરૂ કરવાનુ છે. અમે ટીમ તરીકે સારું રમ્યા. તેને ચાલુ રાખવાનુ છે. ઑલ ધ બેસ્ટ.