પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર આરિફ અલ્વીએ મંગળવારનાં રોજ દેશની સંસદમાં સંયુક્ત સત્રનું આહ્લવાન કર્યુ છે. આ સંયુક્ત સત્ર આવતી કાલના સવારનાં 11 કલાકે બોલાવવામાં આવ્યું છે. આ બેઠકમાં કાશ્મીરમાં બદલાયેલ હાલત પર ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાન સુરક્ષાબળોના પ્રમુખ પણ આ બેઠકમાં શામેલ થશે.
મોદી સરકારના જમ્મૂ કાશ્મીર પર અપ્રત્યાશિત રૂપથી કલમ-370 હટાવવા અને તેને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરીને કેન્દ્રશાસિત પ્રદેશના રૂપમાં માન્યતા આપ્યા બાદ પાકિસ્તાનમાં (pakistan) ખળભળાટ મચી ગયો છે. ગૃહમંત્રી અમિત શાહના રાજ્યસભામાં (rajyasabha) આ ઐતિહાસિક એલાન બાદ પાકિસ્તાને બદલાયેલ હાલત પર ચર્ચા માટે આવતી કાલે એટલે કે મંગળવારના રોજ સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર આરિફ અલ્વીએ મંગળવારનાં રોજ દેશની સંસદમાં સંયુક્ત સત્રનું આહ્લવાન કર્યુ છે. આ સંયુક્ત સત્ર આવતી કાલના સવારનાં 11 કલાકે બોલાવવામાં આવ્યું છે. આ બેઠકમાં કાશ્મીરમાં બદલાયેલ હાલત પર ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાન સુરક્ષાબળોના પ્રમુખ પણ આ બેઠકમાં શામેલ થશે.
પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા, ચીફ ઑફ ધ એર માર્શલ મુઝાહિદ અનવર ખાન સહિત અનેક અન્ય ઉચ્ચ સૈન્ય અધિકાર પણ આ સંયુક્ત સત્રમાં ભાગ લેશે. ગૃહમંત્રી અમિત શાહે સોમવારના રોજ રાજ્યસભામાં 2 મહત્વનાં સંકલ્પ રજૂ કરતા જમ્મૂ કાશ્મીરથી કલમ-370 હટાવવા અને રાજ્યનાં 2 ભાગોમાં વહેંચવાની જાહેરાત કરી છે. હવે જમ્મૂ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરીને આને બે કેન્દ્રશાસિત પ્રદેશના રૂપમાં માનવામાં આવશે. આ નવા કેન્દ્રશાસિત પ્રદેશની પોતાની વિધાનસભા હશે. જ્યારે લદ્દાખ હવે જમ્મૂ કાશ્મીરથી અલગ એક કેન્દ્રશાસિત પ્રદેશ હશે, જો કે, લદ્દાખમાં વિધાનસભા નહીં હોય.
ગૃહમંત્રી અમિત શાહે આ સંકલ્પમાં કહ્યું કે, સંવિધાનની કલમ-370ના તમામ ખંડ જમ્મૂ કાશ્મીરમાં નહીં લાગુ થાય. આ ગૃહ કલમ 370 (3) અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ તરફથી શરૂ કરવાવાળી નિમ્ન સૂચનાઓની ભલામણ કરે છે. રાષ્ટ્રપતિ સંસદની ભલામણ પર એ જાહેરાત કરે છે કે આ તારીખ જે દિવસથી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવશે અને આને સરકારી ગેજેટમાં પ્રકાશિત કરવામાં આવશે તે દિવસથી જ કલમ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય, સિવાય ખંડ 1નાં.