જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ ભારત દ્વારા પડોસી દેશ પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યા બાદ ઇસ્લામાબાદે નવી દિલ્હી સ્થિત પોતના ઉચ્ચાયુક્ત સોહેલ મહમૂદને ચર્ચા માટે પાછા બોલાવ્યા છે. જણાવી દઇએ કે પુલવામા હુમલા બાદ ભારતે પણ ઇસ્લામાબાદથી પોતાના ઉચ્ચાયુક્ત અજય બિસારિયાને ભારત પાછા બોલાવી લીધા હતા.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફેસલે ટ્વિટ કરીને જણાવ્યું 'અમે અમારા ઉચ્ચાયુક્તને ચર્ચા માટે ભારતથી પાછા બોલાવ્યા છે. એ નવી દિલ્હીથી આજે સવારે પાકિસ્તાન માટે રવાના થઇ ગયા છે.'
We have called back our HIgh Commissioner in India for consultations.
He left New Delhi this morning .
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સ્થિત પોતાના ઉચ્ચાયુક્તને બોલાવ્યા હતા. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા. પુલવામા હુમલાના ગુનેગારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે એ ક્યાંય પણ છુપાયા હશે તો બચશે નહીં.
ભારતીય વિદેશ સચિવે ગત શુક્રવારે પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને પાછા બોલાવીને આ હુમલાને લઇને ગાઢ વિરોધ નોંધાવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશ સચિવે પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું કે એમને જેશ-એ-મોહમ્મદ વિરુદ્ધ તત્કાળ અને મજબૂત કાર્યવાહી કરવી જોઇએ.