બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:14 PM, 10 May 2025
India Pakistan ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદુર બાદ સ્થિતિ વણસી ગઇ હતી. જો કે ચાર દિવસ સુધી ચાલેલા બંન્ને વચ્ચેના ટેંન્શનનો અંત આવ્યો છે. અમેરિકાની મધ્યસ્થી બાદ બંન્ને દેશો હવે યુદ્ધ વિરામની સ્થિતિ માટે તૈયાર થયા છે. આ અંગે પાકિસ્તાનનાં DGMO દ્વારા ભારતનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં યુદ્ધનો અંત લાવવા માટે અપીલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
India and Pakistan have today worked out an understanding on stoppage of firing and military action.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 10, 2025
India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms and manifestations. It will continue to do so.
પાકિસ્તાની DGMO એ ફોન કરીને યુદ્ધ વિરામની અપીલ કરી
ADVERTISEMENT
જેના જવાબમાં ભારતે જણાવ્યું કે, અમે તો પહેલાથી જ શાંતિના પક્ષધર રહ્યા છીએ. પરંતુ પાકિસ્તાન દ્વારા વારંવાર ઉશ્કેરણી કરવામાં આવી હતી. જેથી અમે માત્ર જવાબી હુમલો કર્યો હતો અને તે પણ પાકિસ્તાન કે પાકિસ્તાની નાગરિક કે પાકિસ્તાની સેના પર નહી પરંતુ આતંકવાદીઓના લોંચ પેડ પર આ કાર્યવાહી કરી હતી. જો કે પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરાત ભારતે જવાબી કાર્યવાહી કરવાની જરૂર પડી હતી. પાકિસ્તાનનાં DGMO દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. સૈન્ય કાર્યવાહી અટકાવવા માટે સંમતી સધાઇ હતી. આજે 5 વાગ્યાથી જ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવે છે. વિક્રમ મિસરી દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી હતી અને યુદ્ધ વિરામની પણ જાહેરાત કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.