ભારતનો દુશ્મન દેશ પાકિસ્તાને ફરીથી અવળચંડાઇ કરી છે. વારંવાર યુદ્ધમાં ધૂળ ચાટતા પાકિસ્તાને હવે જૂનાગઢ પર દાવો ઠોકી દીધો છે. નેપાળની જેમ જ પાકિસ્તાને હવે નવો નકશો જાહેર કરીને જૂનાગઢ, જમ્મૂ કાશ્મીર અને સિયાચીનને પણ પોતાનામાં સામેલ કરી દીધા છે.
પાકિસ્તાન સરકારે જાહેર કર્યો નવો નકશો
જૂનાગઢ પર પાકિસ્તાને ઠોકયો દાવો
વિદેશમંત્રીએ કહ્યું ભારતે ગેરકાયદેસર નિર્માણ કર્યું
ભારત અને નેપાળ વચ્ચે સરહદ વિવાદમાં નેપાળ સરકારે ભારતનાં કેટલાક વિસ્તારોને પોતાના દેશમાં દર્શાવીને નકશો જાહેર કરી દીધો હતો. પાકિસ્તાને પણ હવે તે જ ચાલ અપનાવી છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંગળવારે એક બેઠકમાં દેશમાં નવો નકશો લાગુ કરી દીધો છે અને આ નકશામાં લદાખ, જમ્મૂ કાશ્મીર, સિયાચીન અને જૂનાગઢ પર દાવો ઠોકી દીધો છે.
ઈમરાન ખાને કેબિનેટ બેઠક બાદ દેશમાં નવો રાજકીય નકશો જાહેર કરી દેવાયો. આ નકશામાં સિયાચીનને પાકિસ્તાનનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જાહેરાત કરતા કહ્યું કે ભારતે આ વિસ્તારોમાં ગેરકાયદેસર નિર્માણ કરી રાખ્યું છે. પાકિસ્તાને આ નકશામાં ભારતનાં વિસ્તારોને દર્શાવીને નવો વિવાદ પેદા કરી દીધો છે.
Pakistan has released a political map which shows Kashmir as part of Pakistan. Now only if the PM could issue the map of Germany-Japan border too.. pic.twitter.com/Z7UQbzPkpd
— Naila Inayat नायला इनायत (@nailainayat) August 4, 2020
નોંધનીય છે કે લદાખમાં ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે પરંતુ ભારતના સૈનિકોની શૂરવીરતાને જોઇને ડ્રેગન ફફડી ઉઠ્યું છે. બીજી તરફ નેપાળે ભારતનાં કેટલાક વિસ્તારો પર દાવો ઠોકી દીધો. ભારત સામે લડી શકે એટલી શક્તિ તો નેપાળ પાસે નથી ત્યારે નેપાળે નવો જ નકશો જાહેર કરીને ભારતના વિસ્તારોને પોતાનામાં દર્શાવીને સંસદમાંથી તે નકશો પસાર પણ કરી લીધો છે. હવે પાકિસ્તાને પણ તે જ નીતિ હેઠળ નવો નકશો જાહેર કરીને ફરીથી વિવાદ પેદા કરી દીધો છે.