આ વખતે એશિયા કપનુ આયોજન પાકિસ્તાન કરશે. પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે ગયા વર્ષે કહ્યું હતુ કે એશિયા કપ પાકિસ્તાનમાંથી બહાર રમાશે. એવામાં પાકિસ્તાનને હવે મેજબાની છિનવવાનો ડર સતાવી રહ્યો છે. પીસીબી અધ્યક્ષ નજમ સેઠીએ જય શાહ સાથે મળવાનો પ્લાન બનાવ્યો છે.
પાકિસ્તાનને સતાવી રહ્યો છે એશિયા કપ છીનવવાનો ડર
નજમ સેઠીએ બનાવ્યો જય શાહ સાથે મળવાનો પ્લાન
નજમ સેઠીને એશિયા કપની મેજબાનીને લઇને કરવી છે વાત
પાકિસ્તાનને એશિયા કપની મેજબાની છિનવવાનો લાગ્યો ડર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને હવે એશિયા કપની મેજબાની છિનવવાનો ડર સતાવવા લાગ્યો છે. આ જ કારણ છે કે પીસીબી અધ્યક્ષ નજમ સેઠી હાલમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ સાથે મુલાકાત કરવા માટે ઉતાવળ કરી રહ્યાં છે. નજમ સેઠીને આ વર્ષેં યોજાનારા એશિયા કપની મેજબાનીને લઇને વાત કરવી છે. ગુરૂવારે દુબઈમાં આંતરરાષ્ટ્રીય લીગ ટી20નુ ઉદ્ઘાટન થવાનુ છે. નજમ સેઠીએ આ પ્રસંગે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ સાથે એશિયા કપની મેજબાનીના અધિકારોને લઇને વાત કરવાનો પ્લાન બનાવ્યો છે.
જય શાહ જશે કે નહીં, હજી સ્પષ્ટ નથી
પીસીબીના એક સૂત્રએ જણાવ્યું, નજમ સેઠી એશિયન ક્રિકેટ કાઉન્સિલના સભ્યો સાથે સંબંધો પર કામ કરવા માંગશે. કારણકે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં એશિયા કપની મેજબાની સુનિશ્ચિત થઇ શકે. નજમ એટલે જઇ રહ્યાં છે, કારણકે તેમને જણાવવામાં આવ્યું છે કે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ પણ ત્યાં પહોંચી રહ્યાં છે.
BCCI તરફથી આ વાતની પુષ્ટિ કરાઈ નથી
જો કે, બીસીસીઆઈ તરફથી આ વાતની પુષ્ટિ કરાઈ નથી કે આંતરરાષ્ટ્રીય લીગ ટી20ના ઉદ્ઘાટન સમારોહમાં જય શાહ અથવા કોઈ બીજા અધિકારી જશે કે નહીં. આ સિવાય હજી એવુ પણ સ્પષ્ટ નથી કે શાહ પીસીબી અધ્યક્ષ સાથે અનૌપચારિક વાત કરવા માંગે છે કે નહી.