ગયા અઠવાડિયે પાકિસ્તાનના પૂ્ર્વ વડાપ્રધાન નવાઝ શરીફે દેશના અંગ્રેજી દૈનિક ડોનને આપેલ એક કબૂલાત નામાને કારણે પાકિસ્તાનના રાજકારણમાં ગરમાવો ફેલાઇ ગયો હતો અને આ ખળભળાટનું કારણ ડોન દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ નવાઝ શરીફના ઇન્ટરવ્યુ મામલે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
જો કે આ તમામ ઘટનાઓના દોષનો ટોપલો પાકિસ્તાનની વર્તમાન સરકારે દેશના સૌથી જુના અને જાણીતા દૈનિક પર સરકારે પ્રતિબંધ મુક્યાના અહેવાલ પ્રસિધ્ધ થયા હતા. જો કે સરકાર દ્વારા આ અખબાર દેશના કેટલાક સ્થળો પર પોતાની નકલો નહીં મોકલી શકે તેવો પ્રતિબંધ ફરમાવ્યો હતો. માધ્યમોના જણાવ્યા મુજબ આ પ્રતિબંધ પાકના પૂર્વ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ મુંબઇ હુમલા ના નિવેદનને પ્રસિધ્ધ કરવા બદલ મુકવામાં આવ્યો હતો.
આપને જણાવી દઇએ કે નવાઝ શરીફે ઇન્ટરવ્યુ દરમિયાન આતંકીઓ વિરુદ્ધ પાકિસ્તાનમાં ચાલતા કેસ સામે પણ સવાલો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે શા માટે પાકિસ્તાનની અદાલતે મુંબઇ હુમલાના આતંકીઓ સામેની સુનાવણી પૂર્ણ કરી નથી. ઉલ્લેખનીય છે કે જ્યારે ભૂતકાળમાં ભારતે આતંકી કસાબના કબુલાત નામા બાદ પાકિસ્તાન પર આક્ષેપ કર્યા હતા ત્યારે પાકિસ્તાન સરકારે જ ભારતના આરોપો ખોટા હોવાનો દાવો કર્યો હતો.
ક્યારે થયો હતો મુંબઇ પર આતંકી હુમલો?
26 નવેમ્બર 2008ના લશ્કર-ઇ-તૌયબાના 10 આંતકવાદી મુંબઇની તાજ હોટલમાં ધૂસી ગયા અને 4 દિવસો સુધી ત્યાં રહ્યા અને શહેરના 7 શહેરોમાં ફાયરિંગ કર્યુ હતુ..આ હુમલામાં લગભગ 166 લોકો માર્યા ગયા હતા જ્યારે 300 લોકો ઘાયલ થયા હતા.